શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સરકારના લોકડાઉન વધારવાના નિર્ણય પર ચિદમ્બરમે કહ્યું, ધન છે, ભોજન છે પણ સરકાર નહીં આપે...
દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 10,363 પર પહોંચી છે.
![સરકારના લોકડાઉન વધારવાના નિર્ણય પર ચિદમ્બરમે કહ્યું, ધન છે, ભોજન છે પણ સરકાર નહીં આપે... Congress leader p chidambaram tweet after PM Modi announced of lockdown 2 સરકારના લોકડાઉન વધારવાના નિર્ણય પર ચિદમ્બરમે કહ્યું, ધન છે, ભોજન છે પણ સરકાર નહીં આપે...](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/14192335/p-chidambaram-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશભરમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે આજે વડાપ્રધાન મોદીએ સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું. આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે.
ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે. લોકડાઉન વધારવાની પ્રધાનમંત્રીની જાહેરાત પર કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમે પ્રતિક્રિયા આપી છે.
ચિદમ્બરમે ટ્વિટ કરીને લખ્યું, "ગરીબોને 21 +19 = 40 દિવસ માટે આપમેળે પ્રબંધ કરવા છોડી દીધા. ધન છે, ભોજન છે પરંતુ સરકાર આપશે નહીં. રડો, મારા પ્યારા દેશવાસીઓ."
અન્ય એક ટ્વિટમાં ચિદમ્બરમે કહ્યું, મુખ્યમંત્રીઓની ભંડોળની માંગ પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. 25 માર્ચે કંઝૂસીભર્યા પેકેજમાં એક પણ રૂપિયો નથી ઉમેરવામાં આવ્યો. રઘુરામ રાજનથી જીન ડ્રીઝ, પ્રભાત પટનાયકથી અભિજીત બેનર્જી સુધીની સલાહો પર ધ્યાન આપવામાં આવ્યું નથી. જોકે, ચિદમ્બરમે લોકડાઉનને આગળ વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યુ હતું.
દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 10,363 પર પહોંચી છે. જ્યારે 339 લોકોના મોત થયા છે અને 1036 લોકો સાજા થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)