![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
' પોતાના દેશમાં જ શરણાર્થી બન્યા છે કાશ્મીરી પંડિત', કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર ભડક્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે આ વર્ષે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની 30 ઘટનાઓ બની છે
![' પોતાના દેશમાં જ શરણાર્થી બન્યા છે કાશ્મીરી પંડિત', કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર ભડક્યા રાહુલ ગાંધી Congress leader Rahul Gandhi said PM Modi is enjoying power while members of the minority community continue to be refugees in their own country ' પોતાના દેશમાં જ શરણાર્થી બન્યા છે કાશ્મીરી પંડિત', કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર ભડક્યા રાહુલ ગાંધી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/445fd655d8801c57bf2ea8ddd662ebb11666095216091236_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rahul Gandhi Attacks BJP:કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની ટાર્ગેટ કિલિંગ અને હિજરત અંગે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે અને આ માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સત્તામાં આવતા પહેલા મોટી મોટી વાતો કરનારા દેશના વડાપ્રધાન આજે સત્તા ભોગવી રહ્યા છે અને કાશ્મીરીઓ પોતાના ઘરમાં શરણાર્થી બનીને રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ વર્ષે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની 30 ઘટનાઓ બની છે. કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત ઝડપથી વધી રહી છે. યુપીએ દ્વારા કરવામાં આવેલા સારા કામને ભાજપે બરબાદ કરી દીધા છે.
इस साल, कश्मीर में 30 टार्गेटिड किलिंग्स हो चुकी हैं। पंडितों का पलायन तेज़ी से बढ़ रहा है।
— Rahul Gandhi (@RahulGandhi) October 27, 2022
भाजपा ने यूपीए द्वारा किए गए अच्छे कामों को बर्बाद कर दिया है।
सत्ता में आने से पहले बड़ी-बड़ी बातें करने वाले PM सत्ता भोग रहे हैं और कश्मीरी पंडित अपने ही देश में शरणार्थी बने हुए हैं।
કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ્ટની 15 ઓક્ટોબરે શોપિયા જિલ્લાના ચૌધરીગુંડ ગામમાં તેમના ઘરની બહાર આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ પછી 18 ઓક્ટોબરે શોપિયામાં પોતાના ઘરમાં સૂઈ રહેલા મોનિશ કુમાર અને રામ સાગર પણ આતંકીઓના ગ્રેનેડ હુમલામાં માર્યા ગયા હતા. એક પછી એક ટાર્ગેટ કિલિંગની આવી ઘટનાઓ બાદ કાશ્મીરના ગામડાઓમાં રહેતા કાશ્મીરી પંડિતોમાં ભય ફેલાયો છે અને તેઓ હિજરત કરી રહ્યા છે.
कश्मीरी पंडितों का लगातार पलायन हो रहा है। पिछले 10 महीने में 30 कश्मीरी पंडित मारे जा चुके हैं। शोपियां, जहां 32 साल से कश्मीरी पंडितों के परिवार रुके रहे, उन्हें भी वहां से निकलना पड़ा।
— Congress (@INCIndia) October 27, 2022
मोदी सरकार अगर इसे सामान्य स्थिति कहती है तो उन्हें आंखें खोल लेनी चाहिए : श्री @Pawankhera pic.twitter.com/vobFnzuhwA
10 કાશ્મીરી પંડિતોએ પોતાનું ગામ છોડી દીધું
ચૌધરીગુંડ ગામના 10 કાશ્મીરી પંડિત પરિવારો ડરના કારણે શોપિયાં ગામ છોડીને જમ્મુ પહોંચી ગયા છે. ગામના લોકોએ કહ્યું હતું કે તાજેતરના આતંકવાદી હુમલાઓએ તેમનામાં ભય પેદા કર્યો છે, તેઓએ કહ્યું કે 1990ના દાયકામાં આતંકવાદના સૌથી મુશ્કેલ તબક્કામાં પણ અમને આટલો ડર નહોતો. અમે ત્યારે પણ કાશ્મીરમાં રહેતા હતા અને અમે અમારું ઘર છોડ્યું ન હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)