શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસમાં થશે મોટો ફેરફાર? 16 વર્ષ બાદ જિલ્લા પ્રમુખો સાથે રાષ્ટ્રીય નેતૃત્વની બેઠક

સંગઠનને મજબૂત કરવા અને 2027ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે ચર્ચા

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગર પ્રમુખો આગામી દિવસોમાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ ઘડવાનો છે.

રાષ્ટ્રીય કોંગ્રેસે દેશભરના 700 જિલ્લા અને મહાનગર પ્રમુખોને દિલ્હી બોલાવ્યા છે. 16 વર્ષ બાદ કોંગ્રેસ દ્વારા જિલ્લા અને મહાનગર પ્રમુખોની આવી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા અને તેને નવું રૂપ આપવા માટે મંથન કરવામાં આવશે. સંગઠનમાં નવીનીકરણ અને સુધારાના ઉદ્દેશ્યથી આ બેઠકો યોજાઈ રહી છે.

રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત આપ્યા હતા. હવે કોંગ્રેસમાં લાંબા સમય બાદ કોઈ મોટી કાર્યવાહીની તૈયારી દેખાઈ રહી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ માટે 700 જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે મહામંથન યોજાશે. 27 અને 28 માર્ચ અને 3 એપ્રિલના રોજ તબક્કાવાર રીતે કોંગ્રેસી જિલ્લા પ્રમુખો દિલ્હી પહોંચશે. જ્યાં તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલ સાથે ચર્ચા કરશે.

આ બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે 16 વર્ષ બાદ આવી બેઠક યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે, જ્યાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC)ના અધ્યક્ષોને ઉમેદવારોની પસંદગીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સત્તા આપવા અને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.

AICCના મહાસચિવ અને પ્રભારીઓની એક બેઠકમાં 700 જિલ્લા અધ્યક્ષોને દિલ્હી બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પાર્ટી અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી પણ જોડાયા હતા. બેઠકમાં પ્રિયંકા ગાંધી સહિત કેટલાક નેતાઓના અનૌપચારિક જૂથ દ્વારા તૈયાર કરવામાં આવેલા સંગઠન મજબૂતીના માળખા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે આ બેઠક જિલ્લા એકમને સશક્ત બનાવવા અને સંગઠનને નવી દિશા આપવા માટે એક ઐતિહાસિક પગલું સાબિત થશે. અમારું લક્ષ્ય ગ્રાઉન્ડ લેવલ પર પાર્ટીને મજબૂત કરવાનું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget