શોધખોળ કરો

ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ

વિશ્વ હિન્દુ પરિષદના પ્રદર્શન બાદ સાંજે બે જૂથો વચ્ચે અથડામણ, પોલીસે ટીયર ગેસ છોડ્યા, 15 લોકોની ધરપકડ.

નાગપુરના મહલ વિસ્તારમાં શિવાજી ચોક અને તેની આસપાસના વિસ્તારોમાં આજે તણાવનું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારના સમયે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ઔરંગઝેબની કબરને હટાવવાની માંગ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજના સમયે શિવાજી ચોક નજીકના ચિટનીસ પાર્ક વિસ્તારમાં અચાનક પથ્થરમારો શરૂ થતાં સ્થિતિ તંગ બની ગઈ હતી. આ ઘટનામાં કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 7 થી 7:30 વાગ્યાની વચ્ચે મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો શિવાજી ચોક પર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેઓ બપોરના વિશ્વ હિન્દુ પરિષદના પ્રદર્શનથી નારાજ હતા. તેમના સૂત્રોચ્ચાર શરૂ થતાં જ હિન્દુ જૂથના યુવાનો પણ વિસ્તારમાં સામસામે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સૂત્રોચ્ચાર કરી રહેલા બંને જૂથોને છૂટા પાડ્યા હતા અને દરેકને શિવાજી ચોકથી ચિટનીસ પાર્ક તરફ ખસેડ્યા હતા.

જો કે, ચિટનીસ પાર્કથી આગળ ભલદારપુરા વિસ્તારમાંથી પોલીસ પર અચાનક મોટા પ્રમાણમાં પથ્થરમારો શરૂ થયો હતો. પથ્થરમારો એટલો તીવ્ર હતો કે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસ પર મોટા પથ્થરો ફેંકવામાં આવતા પોલીસે અંતે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ પથ્થરમારામાં કેટલાક વાહનોને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

નાગપુરના મહલ વિસ્તારમાં પથ્થરમારો અને તંગદિલીની ઘટના બન્યા બાદ પોલીસ પ્રશાસન દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને શાંતિ જાળવવા અને વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેઓ પોલીસ પ્રશાસનના સતત સંપર્કમાં છે અને નાગરિકોએ કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરીને વહીવટીતંત્રને સહયોગ કરવો જોઈએ.

નાગપુર હિંસા કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 15 લોકોની ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચ માનવ બાતમીદારો પાસેથી માહિતી મેળવી રહી છે, જ્યારે સાયબર ટીમ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહી છે. નાગપુર પોલીસે ટેલિકોમ કંપનીઓ પાસેથી પણ ડમ્પ ડેટા માંગ્યો છે.

નાગપુરમાં હિંસા બાદ તાત્કાલિક અસરથી કલમ 163 લાગુ કરવામાં આવી છે. આ ઘટનામાં ડીસીસી નિકેતન કદમ પર જીવલેણ હુમલો પણ થયો છે. તેમના પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. નાગપુરના પોલીસ કમિશ્નર રવિન્દ્ર સિંઘલે એબીપી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે પથ્થરમારાનું કારણ નજીકમાં ચાલી રહેલા બાંધકામના કામને પણ ગણાવ્યું હતું અને હિંસા કેવી રીતે થઈ તેની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. હાલમાં પોલીસ દ્વારા વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
ફ્રી UPIની સફર થશે પૂર્ણ ? નવા કાયદા બાદ તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?
ફ્રી UPIની સફર થશે પૂર્ણ ? નવા કાયદા બાદ તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Embed widget