શોધખોળ કરો

Controversy : 'બુદ્ધિજીવી' કેએસ ભગવાનનો વાણીવિલાસ, શ્રી રામ અને સીતાને લઈ વિવાદાસ્પદ નિવેદન

લેખક અને તથાકથિત બુદ્ધિજીવી એવા કેએસએ દાવો કર્યો કે 'વાલ્મીકિ રામાયણ'માં કહેવાયું છે કે ભગવાન રામ દરરોજ બપોરે તેમની પત્ની સીતા સાથે બેસીને દારૂ પીતા હતા.

KS Bhagwan Controversial Statement: હિંદુ ધર્મ, તેના ધર્મગ્રંથો અને હિંદુ ધર્મના માનવામાં આવતા ભગવાન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આજકાલ જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ વારંવાર તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે. હવે રામચરિતમાનસ વિવાદ બાદ કર્ણાટકના લેખક અને 'બુદ્ધિજીવી' કેએસ ભગવાને રામને લઈને વધુ એક વિવાદ સર્જ્યો છે. તેમણે ભગવાન રામ અને સીતા વિશે ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. 

લેખક અને તથાકથિત બુદ્ધિજીવી એવા કેએસએ દાવો કર્યો કે 'વાલ્મીકિ રામાયણ'માં કહેવાયું છે કે ભગવાન રામ દરરોજ બપોરે તેમની પત્ની સીતા સાથે બેસીને દારૂ પીતા હતા. એટલું જ નહીં કેએસએ એમ પણ કહ્યું હતું કે, રામે પત્ની સીતાની પરવા કર્યા વગર જ તેમને વનમાં મોકલી દીધા હતાં.

કેએસ ભગવાને ભગવાન રામ અને સીતાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે આજે કહ્યું હતું કે, ભગવાન રામ તેમની પત્ની દરરોજ બપોરે તેમની પત્ની સીતા સાથે બેસીને દારૂ પિતા હતાં. તેમણે વગર વિચાર્યે જ પત્ની સીતાને પણ જંગલમાં ધકેલી દીધા હતાં. આ માટે તેમણે વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ હોવાનો દાવો કરી નાખ્યો હતો. આટલુ ઓછું  હોય તેમ કેએસ ભગવાને એમ પણ કહ્યું હતું કે, રામે એક ઝાડ નીચે તપસ્યા કરી રહેલા શુદ્ર શમ્બુકનું માથું કાપી નાખ્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે રામ કેવી રીતે આદર્શ બની શકે? રામ રાજ્ય બનાવવાની વાત છે પણ વાલ્મીકિ રામાયણનો ઉત્તરકાંડ વાંચવાથી ખબર પડે છે કે (ભગવાન) રામ આદર્શ નહોતા. તેમણે 11,000 વર્ષ નહીં પરંતુ માત્ર 11 વર્ષ શાસન કર્યું હતું તેમ પણ કેએસ ભગવાને દાવો કર્યો હતો.

નશા અંગે આપી ચૂક્યા છે વિવાદાસ્પદ નિવેદનો

ડિસેમ્બર 2018માં પણ તેમણે આવો જ વિવાદ ઊભો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન રામ 'નશા' પીતા હતા અને સીતાને પણ તેનું સેવન કરાવતા હતા. તેમણે પોતાના પુસ્તક 'રામ મંદિર યેકે બેડા'માં પણ આ ટિપ્પણી કરી હતી. ત્યારે પણ તેમના નિવેદનનો ભારે વિરોધ થયો હતો. લેખકના ઘરની બહાર પણ લોકોએ ભગવાન રામની પૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો.

કેએસ ભગવાનના આ પ્રકારના નિવેદને ફરી વિવાદ સર્જ્યો છે. તેમના આ નિવેદનથી રાજકીય વિવાદ સર્જાય તેવી શક્યતા છે. 

જાણો શું હતું ચંદ્રશેખરનું નિવેદન

આ અગાઉ બિહારના શિક્ષણ મંત્રી અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના નેતા પ્રોફેસર ચંદ્રશેખરે પણ આ પ્રકારનું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ચંદ્રશેખરે કહ્યું હતું કે, રામચરિતમાનસ પુસ્તક સમાજમાં નફરત ફેલાવતું પુસ્તક છે. તે સમાજના પછાત, મહિલાઓ અને દલિતોને શિક્ષણ મેળવતા અટકાવે છે. આ તેમને સમાન અધિકારો આપવામાં અટકાવે છે. ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે બાબાસાહેબ આંબેડકર પણ મનુસ્મૃતિની વિરુદ્ધ હતા. મનુસ્મૃતિ પછી રામચરિતમાનસે આ દ્વેષના યુગને આગળ વધાર્યો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
RRB JE recruitment 2026: રેલ્વેમાં ખાલી 4098 જગ્યાઓ માટે થશે ભરતી, જાણો અરજીની ડેડલાઇન અને લાયકાત
RRB JE recruitment 2026: રેલ્વેમાં ખાલી 4098 જગ્યાઓ માટે થશે ભરતી, જાણો અરજીની ડેડલાઇન અને લાયકાત
CJP Protest: દિલ્હીમાં CJPના વિરોધ વચ્ચે સરકાર ઝુકી, 'જ્યારે કહેશો ત્યારે વાતચીત માટે તૈયાર'
CJP Protest: દિલ્હીમાં CJPના વિરોધ વચ્ચે સરકાર ઝુકી, 'જ્યારે કહેશો ત્યારે વાતચીત માટે તૈયાર'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Embed widget