શોધખોળ કરો

Controversy : 'બુદ્ધિજીવી' કેએસ ભગવાનનો વાણીવિલાસ, શ્રી રામ અને સીતાને લઈ વિવાદાસ્પદ નિવેદન

લેખક અને તથાકથિત બુદ્ધિજીવી એવા કેએસએ દાવો કર્યો કે 'વાલ્મીકિ રામાયણ'માં કહેવાયું છે કે ભગવાન રામ દરરોજ બપોરે તેમની પત્ની સીતા સાથે બેસીને દારૂ પીતા હતા.

KS Bhagwan Controversial Statement: હિંદુ ધર્મ, તેના ધર્મગ્રંથો અને હિંદુ ધર્મના માનવામાં આવતા ભગવાન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આજકાલ જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ વારંવાર તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે. હવે રામચરિતમાનસ વિવાદ બાદ કર્ણાટકના લેખક અને 'બુદ્ધિજીવી' કેએસ ભગવાને રામને લઈને વધુ એક વિવાદ સર્જ્યો છે. તેમણે ભગવાન રામ અને સીતા વિશે ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. 

લેખક અને તથાકથિત બુદ્ધિજીવી એવા કેએસએ દાવો કર્યો કે 'વાલ્મીકિ રામાયણ'માં કહેવાયું છે કે ભગવાન રામ દરરોજ બપોરે તેમની પત્ની સીતા સાથે બેસીને દારૂ પીતા હતા. એટલું જ નહીં કેએસએ એમ પણ કહ્યું હતું કે, રામે પત્ની સીતાની પરવા કર્યા વગર જ તેમને વનમાં મોકલી દીધા હતાં.

કેએસ ભગવાને ભગવાન રામ અને સીતાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે આજે કહ્યું હતું કે, ભગવાન રામ તેમની પત્ની દરરોજ બપોરે તેમની પત્ની સીતા સાથે બેસીને દારૂ પિતા હતાં. તેમણે વગર વિચાર્યે જ પત્ની સીતાને પણ જંગલમાં ધકેલી દીધા હતાં. આ માટે તેમણે વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ હોવાનો દાવો કરી નાખ્યો હતો. આટલુ ઓછું  હોય તેમ કેએસ ભગવાને એમ પણ કહ્યું હતું કે, રામે એક ઝાડ નીચે તપસ્યા કરી રહેલા શુદ્ર શમ્બુકનું માથું કાપી નાખ્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે રામ કેવી રીતે આદર્શ બની શકે? રામ રાજ્ય બનાવવાની વાત છે પણ વાલ્મીકિ રામાયણનો ઉત્તરકાંડ વાંચવાથી ખબર પડે છે કે (ભગવાન) રામ આદર્શ નહોતા. તેમણે 11,000 વર્ષ નહીં પરંતુ માત્ર 11 વર્ષ શાસન કર્યું હતું તેમ પણ કેએસ ભગવાને દાવો કર્યો હતો.

નશા અંગે આપી ચૂક્યા છે વિવાદાસ્પદ નિવેદનો

ડિસેમ્બર 2018માં પણ તેમણે આવો જ વિવાદ ઊભો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન રામ 'નશા' પીતા હતા અને સીતાને પણ તેનું સેવન કરાવતા હતા. તેમણે પોતાના પુસ્તક 'રામ મંદિર યેકે બેડા'માં પણ આ ટિપ્પણી કરી હતી. ત્યારે પણ તેમના નિવેદનનો ભારે વિરોધ થયો હતો. લેખકના ઘરની બહાર પણ લોકોએ ભગવાન રામની પૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો.

કેએસ ભગવાનના આ પ્રકારના નિવેદને ફરી વિવાદ સર્જ્યો છે. તેમના આ નિવેદનથી રાજકીય વિવાદ સર્જાય તેવી શક્યતા છે. 

જાણો શું હતું ચંદ્રશેખરનું નિવેદન

આ અગાઉ બિહારના શિક્ષણ મંત્રી અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના નેતા પ્રોફેસર ચંદ્રશેખરે પણ આ પ્રકારનું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ચંદ્રશેખરે કહ્યું હતું કે, રામચરિતમાનસ પુસ્તક સમાજમાં નફરત ફેલાવતું પુસ્તક છે. તે સમાજના પછાત, મહિલાઓ અને દલિતોને શિક્ષણ મેળવતા અટકાવે છે. આ તેમને સમાન અધિકારો આપવામાં અટકાવે છે. ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે બાબાસાહેબ આંબેડકર પણ મનુસ્મૃતિની વિરુદ્ધ હતા. મનુસ્મૃતિ પછી રામચરિતમાનસે આ દ્વેષના યુગને આગળ વધાર્યો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget