Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં લગભગ 11 હજાર નવા કેસ નોંધાયા, 392 લોકોના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 હજાર 509 લોકો સાજા થયા છે.
Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Covid 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. જો કે, હવે નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 923 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 392 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 60 હજાર 265 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.
સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 હજાર 509 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને એક લાખ 46 હજાર 950 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 37 લાખ 37 હજાર 468 લોકો સાજા થયા છે.
COVID19 | India reports 10,929 new cases, 392 deaths and 12,509 recoveries in the last 24 hours; active caseload stands at 1,46,950
Total Vaccination : 1,07,92,19,546 pic.twitter.com/xixxN7SvLE — ANI (@ANI) November 6, 2021
રસીનો આંકડો 107 કરોડને પાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે દેશમાં કોરોનાના 20 લાખ 75 હજાર 942 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ દેશમાં અત્યાર સુધીમાં 107 કરોડ 92 લાખ 19 હજાર 546 લોકોને રસી આપવામાં આવી છે.























