શોધખોળ કરો
છત્તીસગઢ સરકારનો મોટો નિર્ણય, કોરોના વિરુદ્ધ લડાઇ માટે પ્રાઇવેટ હોસ્પિટલો કરી ટેકઓવર
છત્તીસગઢ સરકાર હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે. આ વચ્ચે છત્તીસગઢ સરકારે કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે મોટો નિર્ણય લીધો છે. છત્તીસગઢ સરકાર હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરશે. કોરોના વાયરસના જંગમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે. એક તરફ કોરોના વાયરસને રોકવા કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે છત્તીસગઢ સરકારે તમામ પ્રાઇવેટ હોસ્પિટલોને કોરોના સામે લડવા માટે ટેક ઓવર કરવાનો નિર્ણય લીધો છે. આ હેઠળ સરકારે તમામ ખાનગી મેડિકલ કોલેજ, નર્સિંગ હોમ અને હોસ્પિટલોને આગામી આદેશ સુધી તત્કાળ પ્રભાવથી ટેકઓવર કરી લીધા છે. છત્તીસગઢમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ત્રણ દર્દીઓ નોંધાયા છે.
વધુ વાંચો





















