શોધખોળ કરો

કોરોના સંક્રમણ વધતા ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં 10 દિવસનું કરફ્યૂ, જાણો વિગતે 

10 દિવસના આ કર્ફ્યુ દરમિયાન તમામ પ્રકારની ખાનગી કચેરીઓ બંધ રહેશે. તમામ કર્મચારીઓ વર્ક ફોર્મ હોમ કરશે. કર્ફ્યુ દરમિયાન રાજ્યના તમામ બજારો બંધ રહેશે અને કલમ 144 અમલમાં રહેશે. લોકોના મેળાવડાને ક્યાંય પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

નવી દિલ્હી :  દેશમાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યું છે. ત્યારે કોરોનાને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અનેક પગલા લઈ રહી છે સાથે રાજ્ય સરકારો પણ હવે લોકડાઉન કરી રહી છે.  અનેક રાજ્યોએ લોકડાઉન લાદી દીધું છે. ત્યારે ભાજપ શાસિત વધુ એક રાજ્યએ કર્ફ્યૂની જાહેરાત કરી છે. હિમાચલ સરકારે (Himachal Pradesh) 10 દિવસ માટે કર્ફ્યૂ (curfew)લાદવાની જાહેરાત કરી છે.  

 
મુખ્યમંત્રી જયરામ સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં 6 મેના રોજ મધ્ય રાતથી 16 મે સુધી કોરોના કર્ફ્યૂ લાગુ રહેશે.  કોરોના કર્ફ્યૂ દરમિયાન તમામ કાર્યાલયો બંધ રહેશે અને માત્ર જરૂરી સેવાઓને મંજૂરી આપવામાં આવશે. સાથે RT-PCR- રિપોર્ટ નેગેટિવ વગર અન્ય રાજ્યના લોકોને પ્રવેશે આપવામાં આવશે નહીં. 


મળતી માહિતી અનુસાર,  10 દિવસના આ કર્ફ્યુ દરમિયાન તમામ પ્રકારની ખાનગી કચેરીઓ બંધ રહેશે. તમામ કર્મચારીઓ વર્ક ફોર્મ હોમ કરશે. કર્ફ્યુ દરમિયાન રાજ્યના તમામ બજારો બંધ રહેશે અને કલમ 144 અમલમાં રહેશે. લોકોના મેળાવડાને ક્યાંય પણ મંજૂરી આપવામાં આવશે નહીં. રાજ્યમાં બસ સેવા ચાલુ રહેશે. આ સાથે રાજ્યમાં વિમાન, બસ અથવા ટ્રેનમાં આવતા લોકોને કોવિડની 72 કલાક જુનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજીયાત રહેશે.  


આ ઉપરાંત રાજ્ય સરકારે ધોરણ 10ની પરીક્ષા રદ કરવાનો અને વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાનો પણ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે હિમાચલ પ્રદેશમાં કોરોનાના 3,824 નવા કેસ નોંધાયા હતા, તેની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,945 થઈ છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 48 દર્દીઓનાં મોત પછી રાજ્યમાં આ જીવલેણ વાયરસના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 1,647 થઈ ગઈ છે.  હાલમાં રાજ્યમાં 23,572 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 85,671 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઈ ચૂક્યા છે.

કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી 

આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું કે, વાયરસના સંક્રમણથી  ઘણા કેસ નોંધાઈ રહ્યાં છે. તેથી હાલમાં એવું કહી શકાય નહીં કે, કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે. પરંતુ  આવશે જરૂર, તેથી આપણે આ નવી લહેર માટે તૈયારી કરી દેવી જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને ટાળી શકાય નહીં.  

તેમણે ક્યું કે, વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે જેથી આ નવા કોરોના સ્ટ્રેન સામે લડી શકાય. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આપણે નવી લહેરની તૈયારી કરી દેવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વેક્સિન અપગ્રેડ કરવાની સાથે સર્વેલન્સની પણ જરૂર પડશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
Embed widget