શોધખોળ કરો
Advertisement
દિલ્હી પોલીસમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં વધુ 47 પોલીસકર્મી સંક્રમિત
દિલ્હીમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 23645 થઈ ગઈ છે. અત્યાર સુધી 606 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં પોલીસ પર પણ કોરોનાનો ખતર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 47 વધુ પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અત્યાર સુધી દિલ્હી પોલીસના 500થી વધુ પોલીસ જવાન કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં એક પોલીસકર્મીનું મોત થયું છે. સમગ્ર દિલ્હીમાં હાલમાં પણ 150થી વધુ વિસ્તારો સીલ છે અને પોલીસ દિવસ રાત ડ્યૂટી પર તૈનાત છે.
દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કલાકમાં 1513 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં નોંધાયેલા કોરોના પોઝિટિવના અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.
રાજધાનીમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 23645 થઈ ગઈ છે. જેમાંથી 13497 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 606 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. જ્યારે 9542 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,16,919 પર પહોંચી છે. 6705 લોકોના મોત થયા છે અને 1,04,107 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,06,737 એક્ટિવ કેસ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ભાવનગર
આરોગ્ય
Advertisement