શોધખોળ કરો
Lockdown ની ઐસી-તૈસી કરનારા લોકો પર નારાજ થયા PM મોદી, રાજ્ય સરકારોને કર્યો આ હુકમ, જાણો વિગત
કોરોના વાયરસના વધતા મામલાના કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ સહિત દેશના 10થી વધારે રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે.

નવી દિલ્હીઃ વિદેશ સહિત દેશમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 410ને પાર કરી ગઈ છે અને દર કલાકે તેમાં વધારો થઈ રહ્યો છે. દેશના ઘણા મોટા શહેરોમાં લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે, છતાં લોકો તેનો ગંભીરતાથી અમલ કરતા નથી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ લોકડાઉન દરમિયાન લોકો બહાર નીકળી રહ્યા છે તેને લઈ નારાજગી વ્યક્ત કરી છે. મોદીએ લખ્યું, લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા પરંતુ સરકારો તેનું પાલન કરાવે. પ્રધાનમંત્રએ ટ્વિટ કરીને લખ્યું, લોકડાઉને હજુ પણ ઘણા લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા. મહેરબાની કરીને તેનાથી તમે બચો. તમારા પરિવારને બચાવો. આદેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારી વિનંતી છે કે નિયમો અને કાનૂનોનું પાલન કરો. કોરોના વાયરસના વધતા મામલાના કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ સહિત દેશના 10થી વધારે રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. તેમ છતાં અનેક લોકો સડકો પર નજરે પડ્યા હતા. સાંજે 5 વાગ્યે ડોક્ટરો-મીડિયાકર્મીનો આભાર વ્યક્ત કરવા થાળી અને તાળી વગાડવામાં આવી હતી. પરંતુ તે બાદ દેશના અનેક શહેરોમાં લોકો ઉજવણી કરતાં નજરે પડ્યા હતા.
વધુ વાંચો























