શોધખોળ કરો

Coronavirus India: વિશ્વમાં કોરોનાએ ફરી માર્યો છે ઉથલો, PM મોદી આજે કરશે સમીક્ષા બેઠક

PM Modi: વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારતમાં પણ કોરોનાના નવા વેરીયન્ટની એન્ટ્રી થઈ છે. આ દરમિયાન આજે પીએમ મોદી સમીક્ષા બેઠક કરશે.

Coronavirus: વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારતમાં પણ કોરોનાના નવા વેરીયન્ટની એન્ટ્રી થઈ છે. આ દરમિયાન આજે પીએમ મોદી સમીક્ષા બેઠક કરશે.

ચીનથી લઈ જાપાન અને અમેરિકામાં કોરોના કેસ વધી રહ્યા છે, જેને લઈ ભારતમાં સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોનાની સ્થિતિ જાણવા સમીક્ષા બેઠક બોલાવી છે. આ પહેલા બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ભારતમાં કોરોનાની એન્ટ્રીને લઈ ફફડાટ, નીતિ આયોગના વીકે પોલે લોકોને કર્યા એલર્ટ

ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે હવે ભારતમાં પણ સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ ભારતમાં કોવિડની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ભારતીય તબીબી સંશોધન પરિષદ અને બાયોટેકનોલોજી વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા મીટિંગમાં શું શું ચર્ચા કરવામાં આવી અને કેવા કેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા તે નીચે મુજબ છે. 

નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે પણ મહત્વની સલાહ આપી છે. તેમણે કોરોનાની સ્થિતિમાં શું શું તકેદારી રાખવી તેની પણ જાણકારી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ મહત્વના દિશા-નિર્દેશ આપ્યા હતાં.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે,  કોવિડ હજી ખતમ થયો નથી. મેં તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને દેખરેખ મજબૂત કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, ટીમ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

મીટિંગ પૂરી થયા બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે લોકોને વાયરસના ફેલાવાને રોકવા માટે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી હતી. ડૉ. વી.કે. પૉલે કહ્યું હતું કે, જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હોવ તો માસ્કનો ઉપયોગ અવશ્ય કરો. વૃદ્ધ લોકો માટે આ બધી બાબતો ઘણી મહત્વની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
Embed widget