શોધખોળ કરો

Corona Virus : દેશમાં કોરોના રોકેટ ગતિએ, ભારતને લઈ WHOની ચેતવણી

ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં 40 ટકાનો ઉછાળો

Corina Virus Cases in India : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે જેને મોદી સરકારની ચિંતા વધારી છે. દેશમાં હવે કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 3000થી વધુ થઈ ગઈ છે, જે માત્ર 9 દિવસમાં બમણી થઈ ગઈ છે. જ્યારે કોવિડના દૈનિક કેસોમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખી દેશના ઘણા રાજ્યોએ કેસોને નિયંત્રણમાં રાખવાની વ્યૂહરચના પર કામ કરવા માટે મહત્વપૂર્ણ બેઠકો યોજી છે. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ પણ ભારતને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

WHOનું કહેવું છે કે, 27 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધીમાં દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં ભારતમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સરકારે થોડા દિવસો સુધી આ અંગે ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ દિલ્હીમાં કોવિડ-19ના વધતા કેસ પર નજર રાખી રહ્યા છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

હકારાત્મક નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ટેસ્ટમાં કોવિડ-પોઝિટિવ આવતા તમામ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ નવા પ્રકારને ઓળખી શકાય. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોને કોવિડ દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ જાળવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે સીએમ કેજરીવાલે પણ કહ્યું હતું કે, હાલ માસ્કને લઈને કેન્દ્ર તરફથી કોઈ નવી માર્ગદર્શિકા મળી નથી. કોઈપણ માર્ગદર્શિકા પ્રાપ્ત થતાં જ તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.



મહારાષ્ટ્રમાં કોરોનાના કેસે વધાર્યુ ટેંશન

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સોલાપુરમાં માર્ચમાં 20.05 ટકા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સાંગલીમાં 17.47 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સૌથી વધુ છે. અધિકારીઓએ કહ્યું છે કે, મુંબઈ, પુણે, થાણે, રાયગઢ, નાસિક અને સાંગલી જેવા જિલ્લાઓમાં દૈનિક કોવિડ કેસોની સંખ્યા સૌથી વધુ છે. જ્યારે રાજ્ય સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ એકઠા થવાનું ટાળવાની અપીલ કરી છે. કોરોના ચેપના ફેલાવાને રોકવા માટે માસ્કનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ

કોરોનાના કેસમાં વધારો થયા બાદ કેરળમાં સરકારે પણ પોતાના ગિયર કડક કરી દીધા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે તેમણે તમામ જિલ્લાઓને નિર્દેશ આપ્યા છે કે, તેઓ તમામ કોવિડ-19 કેસની જાણ આરોગ્ય વિભાગને કરે. તેમણે કહ્યું હતું કે, ગંભીર રોગોથી પીડિત લોકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોએ ખૂબ કાળજી લેવી જોઈએ. લોકોએ માસ્ક પહેરવા જોઈએ. જો કોઈને કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા હોય, તો તેમણે તરત જ તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..

વિડિઓઝ

Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
Zene Zoe Warsi: અરશદ વારસીની દીકરીએ લૂંટી મહેફિલ, સુંદરતામાં Janhvi-Ananyaને આપે છે ટક્કર
Zene Zoe Warsi: અરશદ વારસીની દીકરીએ લૂંટી મહેફિલ, સુંદરતામાં Janhvi-Ananyaને આપે છે ટક્કર
Embed widget