શોધખોળ કરો

Covid: છેલ્લા 24 કલાકમાં દેશમાં 761 નવા કેસ નોંધાયા, 12 લોકોના મોત

ભારતમાં કોરોના વાયરસના કેસો અંગે આરોગ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 761 નવા કોવિડ-19 કેસ અને 12 મૃત્યુ નોંધાયા છે.

Covid-19 Cases in India: ભારતમાં કોરોના વાયરસના કેસો અંગે આરોગ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 761 નવા કોવિડ-19 કેસ અને 12 મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 12 રાજ્યોમાંથી JN.1 વેરિઅન્ટના કુલ 619 કેસ નોંધાયા છે.  અપડેટ થયેલા ડેટા અનુસાર, દેશમાં એક્ટિવ કોવિડ-19 કેસોની સંખ્યા ગુરુવારે 4,423 થી ઘટીને 4,334 થઈ ગઈ છે.

કેરળમાં સૌથી વધુ 1,249 સક્રિય કેસ છે, ત્યારબાદ કર્ણાટકમાં 1,240, મહારાષ્ટ્રમાં 914, તમિલનાડુમાં 190 અને છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં દરેક 128 છે. માહિતી અનુસાર, 12 મૃત્યુમાંથી પાંચ કેરળમાં, ચાર કર્ણાટકમાંથી, બે મહારાષ્ટ્રમાંથી અને એક ઉત્તર પ્રદેશમાં થયા છે.

5 ડિસેમ્બર સુધી દૈનિક કેસોની સંખ્યા બે આંકડામાં હતી, પરંતુ ઠંડા હવામાનની સ્થિતિ અને નવા COVID-19 પ્રકારના ઉદભવ પછી તેઓ ફરીથી વધવા લાગ્યા છે.

2020 ની શરૂઆતમાં શરૂ થયેલા રોગચાળાની ટોચ પર, દૈનિક કેસોની સંખ્યા લાખોમાં હતી. ચાર વર્ષમાં દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને 5.3 લાખથી વધુ લોકોના મોત થયા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 4.4 કરોડથી વધુ છે, જેમાં રિકવરી રેટ 98.81 ટકા છે. વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

દેશમાં JN-1 વેરિયન્ટની સંખ્યામાં વધારો

કોરોનાના આ નવા પ્રકારને લઈને કેન્દ્ર સરકારે પહેલાથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્વેલન્સ જાળવવા માટે કહ્યું છે. દેશમાં JN-1 વેરિઅન્ટની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19ની નવી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તમામ હોસ્પિટલોને JN-1 વેરિઅન્ટના વધતા જતા કેસોને કારણે ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અને શ્વસન સંબંધી બીમારી પર દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવા જણાવ્યું છે. 

દેશભરમાં કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN-1 કેસની સંખ્યા વધીને 619 થઈ ગઈ છે. પીટીઆઈના અહેવાલ મુજબ 4 જાન્યુઆરી સુધીમાં કર્ણાટકમાં 199, કેરળમાં 148, મહારાષ્ટ્રમાં 110, ગોવામાં 47, ગુજરાતમાં 36, આંધ્રપ્રદેશમાં 30, તમિલનાડુમાં 26, દિલ્હીમાં 15, રાજસ્થાનમાં 4 કેસ નોંધાયા છે. તેલંગાણા, હરિયાણામાં 2 અને ઓડિશામાંથી એક-એક કેસ નોંધાયો છે.

અધિકારીએ કહ્યું કે, દેશભરમાં JN-1 વેરિઅન્ટની સંખ્યા વધી રહી હોવા છતાં, અત્યારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ચેપગ્રસ્ત મોટાભાગના લોકો ઘરે જ સારવાર લઈ રહ્યા છે.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
Embed widget