શોધખોળ કરો

રાષ્ટ્રીય સીરો સર્વેમાં આટલા લોકોમાં જોવા મળી એન્ટીબોડી, પરંતુ 40 કરોડ જનસંખ્યા પર હજુ પણ કોરોનાનો ખતરો 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, એક તૃતિયાંશ જનસંખ્યામાં સાર્સ-સીઓવી-2 એન્ટીબોડી ન મળી, જેનો અર્થ છે કે આશરે 40 કરોડ લોકોને હજુ પણ કોરોના વાયરસ સંક્રમણનો ખતરો છે.

નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે આયોજિત નિયમિત પત્રકાર પરિષદ દરમિયાન સીરો સર્વેના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જે મુજબ, દેશમાં 67.7 ટકા લોકોમાં સીરો પ્રિવિલેન્સ જોવા મળ્યું. એટલે કે બે તૃતીયાંશ લોકોમાં એન્ટીબોડી મળી છે. આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું કે 40 કરોડ જનસંખ્યા પર હજુ પણ કોરોનાનો ખતરો છે. આ સર્વે જૂન-જુલાઈમાં કરાવવામાં આવ્યો છે. 

ICMR ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો જૂન-જુલાઈમાં 21 રાજ્યોના 70 જિલ્લામાં કરવામાં આવ્યો હતો. તેમાં 6-17 વર્ષની ઉંમરના બાળકો સામેલ હતા. તેમણે કહ્યું કે, સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવેલા સ્વાસ્થ્ય કર્મીઓમાં 85 ટકામાં સાર્સ-સીઓવી-2 વિરુદ્ધ એન્ટીબોડી મળી છે, જ્યારે સ્વાસ્થ્ય કર્મીઓમાં 10 ટકાને અત્યાર સુધી રસી લાગી નથી. 


સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, એક તૃતિયાંશ જનસંખ્યામાં સાર્સ-સીઓવી-2 એન્ટીબોડી ન મળી, જેનો અર્થ છે કે આશરે 40 કરોડ લોકોને હજુ પણ કોરોના વાયરસ સંક્રમણનો ખતરો છે. કોરોના કેસને ધ્યાનમાં રાખતા સરકારે લોકોને કહ્યું કે, સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડાથી દૂર રહે, બિનજરૂરી યાત્રા ટાળે, અને સંપૂર્ણ રસીકરણ બાદ યાત્રા કરે. આઈસીએમઆરે કહ્યું કે, બાળકો વાયરસના સંક્રમણનો સારી રીતે સામનો કરી શકે છે. 

સીરો સર્વોમાં સામેલ 12,607 લોકો એવા હતા, જેણે વેક્સિન લીધી નથી. 5038 એવા હતા જેને એક ડોઝ લાગ્યો હતો અને 2631 ને બંને ડોઝ લાગ્યા હતા. સર્વેમાં સામે આવ્યું કે, વેક્સિનના બંને ડોઝ લેનારામાં 89.8 ટકા એન્ટીબોડી બની. તો એક ડોઝ લેનારામાં 81 ટકા એન્ટીબોડી બની છે. તેણે વેક્સિન નથી લીધી એવા 62.3 ટકા લોકોમાં એન્ટીબોડી મળી. તેવામાં એવું માની શકાય છે કે વેક્સિન લીધા બાદ એન્ટીબોડી બની રહી છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

 

દેશમાં આજે 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 97.37 ટકા થઈ ગયો છે. જયારે દરરોજનો પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે. દેશમાં ગઈકાલે 374 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 કરોડ 11 લાખ 74 હજાર 322 થઈ ગઈ છે. જ્યારે 374 મોતની સાથે કુલ મોતની સંખ્યા 4 લાખ 14 હજાર 482 થઈ ગઈ છે. દેશમાં 45 હજાર 254 ગઈકાલે ડિસ્ચાર્જ થયા બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3 કરોડ 3 લાખ 53 હજાર 710 થઈ ગઈ છે. દેશમા એક્ટિવ કેસની કુલ સંખ્યા 4 લાખ 6 હજાર 130 છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 52 લાખ 67 હજાર 309 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ કુલ રસીકરણો આંકડો 41 કરોડ 18 લાખ 46 હજાર 401 એ પહોંચી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 

વિડિઓઝ

UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
નવી Renault Duster થઈ લોન્ચ,  કિંમત જાણી ચોંકી જશો,  પ્રી-બુકિંગ અને ફીચર્સ વિશે જાણી લો  
નવી Renault Duster થઈ લોન્ચ,  કિંમત જાણી ચોંકી જશો,  પ્રી-બુકિંગ અને ફીચર્સ વિશે જાણી લો  
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
Pakistan Airstrike: 400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Embed widget