શોધખોળ કરો
LPG બુક કર્યા પછી કેટલા દિવસે મળવો જોઈએ બાટલો? જાણો શું છે સરકારની 'ડેડલાઈન'
મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ગેસની અછતની અફવાઓથી લોકોમાં ગભરાટ; સરકારે બુકિંગના દિવસોની મર્યાદા અને OTP ડિલિવરી અંગે નવી ગાઈડલાઈન બહાર પાડી.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસરો વચ્ચે દેશમાં LPG ગેસ સિલિન્ડરની અછત હોવાની વાતો વહેતી થઈ છે, જેના કારણે લોકો ગભરાઈને ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. આ સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ગેસની કોઈ જ અછત નથી, તેથી લોકોએ પેનિક થઈને વધારાનો સ્ટોક કરવાની જરૂર નથી. કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે સરકારે ગેસ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેથી સપ્લાય સિસ્ટમ પર પડતું બિનજરૂરી દબાણ ઘટાડી શકાય.
1/6

નવા નિયમો મુજબ હવે બે ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે ચોક્કસ સમયગાળો રાખવો ફરજિયાત બનશે. શહેરી વિસ્તારોમાં રહેતા ગ્રાહકો માટે હવે પ્રથમ બાટલો મળ્યા પછી ઓછામાં ઓછા 25 દિવસ સુધી બીજું બુકિંગ કરાવી શકાશે નહીં. જ્યારે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આ સમયમર્યાદા વધારીને 45 દિવસની કરવામાં આવી છે. આ નવા નિયમનો અમલ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેથી દરેક પરિવારને જરૂરિયાત મુજબ ગેસનો પુરવઠો મળી રહે.
2/6

સરકારનો આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે કોઈ એક જ ગ્રાહક વારંવાર બુકિંગ કરાવીને ગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરે. જ્યારે બજારમાં અછતની અફવાઓ ફેલાય છે, ત્યારે સંગ્રહખોરી વધવાથી ખરેખર જરૂરિયાત ધરાવતા ગ્રાહકોને મુશ્કેલી પડે છે. આ નવી મર્યાદા નક્કી કરવાથી સપ્લાય ચેઈન જળવાઈ રહેશે અને છેવાડાના માનવી સુધી ગેસનો પુરવઠો સમાન રીતે અને યોગ્ય સમયે પહોંચતો કરી શકાશે તેવું સરકારનું માનવું છે.
Published at : 16 Mar 2026 06:32 PM (IST)
આગળ જુઓ
Advertisement























