Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, વાવાઝોડુ દિત્વાહ, જે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીના નજીકના વિસ્તારોમાં, ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ડિપ ડિપ્રેશનમાં પરિણમ્યું હતું, તે છેલ્લા 6 કલાક દરમિયાન ધીમે ધીમે ઉત્તર તરફ 3 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

Cyclone Ditwah:બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત દિત્વાહ તમિલનાડુ-પુડુચેરી કિનારાની નજીક પહોંચતા જ નબળું પડી ગયું છે. તે વધુ નબળું પડીને લો પ્રેશરમાં ફેરવાઈ જવાની ધારણા છે. જોકે, સોમવારે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટથી દસ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન દિત્વાહ જે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી, ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ડિપ ડિપ્રેશનમાં પરિણમ્યું હતું, તે છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધ્યું. તે ચેન્નાઈથી લગભગ 50 કિમી પૂર્વમાં, પુડુચેરીથી 140 કિમી ઉત્તર-પૂર્વમાં, કુડ્ડલોરથી 160 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં, નેલ્લોરથી 170 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને દક્ષિણપશ્ચિમ અને ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેન્દ્રિત હતું. વરસાદથી હજારો લોકો પ્રભાવિત થયા છે... GCP એ જણાવ્યું હતું કે, ચક્રવાતને કારણે ચેન્નાઈમાં હજારો લોકો પ્રભાવિત થયા છે, મોટી સંખ્યામાં વૃક્ષો ઉખડી ગયા છે. સોમવારે 83,600 અન્ય લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યાં છે.
ઉત્તર તરફ આગળ વધતાં તે નબળું પડશે.
IMD એ જણાવ્યું હતું કે, ચક્રવાતનું કેન્દ્ર ઉત્તરીય તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાથી આશરે 35 કિમી દૂર છે. તે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે. આગામી 12 કલાકમાં તે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની ધારણા છે. આને કારણે, સોમવારે તિરુવલ્લુર અને તમિલનાડુના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. ચેન્નાઈમાં ભારે પવન સાથે દરિયામાં પણ અને ભરતી જોવા મળી.
જોકે દિત્વવાહના નબળા પડવાથી તમિલનાડુ અથવા પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોને નોંધપાત્ર નુકસાન થવાની ધારણા નથી, ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન (GCP) એ તેના કારણે થનારા વરસાદની અપેક્ષાએ વ્યાપક તૈયારીઓ કરી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે 103 બોટ તૈયાર રાખવામાં આવી છે





















