Cyclone Gulab : આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ, બે માછીમારોના મોત
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચક્રવાત ગુલાબના દરિયા કિનારે ટકરાવાની પ્રક્રિયા રવિવાર સાંજથી શરૂ થઈ છે અને લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહી શકે છે.
Background
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચક્રવાત ગુલાબના દરિયા કિનારે ટકરાવાની પ્રક્રિયા રવિવાર સાંજથી શરૂ થઈ છે અને લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહી શકે છે. આ પ્રક્રિયાએ આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર વચ્ચેની જમીનને અસર કરી છે. આઇએમડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તાજેતરના હવામાનશાસ્ત્રીય નિરીક્ષણો અનુસાર, વાદળોએ દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લીધા છે અને આંધ્રપ્રદેશ અને નજીકના દક્ષિણ કોસ્ટલ ઓડિશામાં ચક્રવાતી પરિભ્રમણની પ્રક્રિયા શરૂ થઈ છે." એક અધિકારીએ જણાવ્યું કે, ચક્રવાતની પવનની ગતિ દરિયા કિનારે અથડાતી વખતે 90 કિમી પ્રતિ કલાકની આસપાસ છે.
ચક્રવાત ગુલાબ આગામી છ કલાકમાં નબળું પડી જશે
ગુલાબે ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કર્યો
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત ગુલાબ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કરી ગયું છે.





















