શોધખોળ કરો

પૂર્વ PM રાજીવ ગાંધી પાસેથી ‘ભારત રત્ન’ પરત લેવાની માંગ, દિલ્હી વિધાનસભામાં રજૂ થયો પ્રસ્તાવ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને મળેલો ‘ભારત રત્ન’ પુરસ્કાર પરત લેવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. વિધાનસભામાં એક ધારાસભ્ય તરફથી રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે રાજીવ ગાંધી 1984 શીખ દંગાની ઘટનાના જવાબદાર હતા જેથી તેમની પાસેથી ભારત રત્ન પરત લઇ લેવો જોઈએ. દિલ્હી વિધાનસભામાં આજે 1984 શીખ દંગાની પીડિતોને ન્યાય આપવવા માટે એક પ્રસ્તાવ બહુમતથી પાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દા એ હતા કે, 1984માં શીખોને શોધી શોધીને ટાયરોથી સળગાવી દેવામાં આવ્યા હતા. તેઓની જાહેરમાં હત્યા કરી નાખી, એવામાં દંગા શબ્દનો ઉપયોગ આ સમગ્ર ઘટનાને નાની બનાવે છે. જેથી હવેથી ‘દંગા’ શબ્દની જગ્યાએ નરસંહાર શબ્દનો ઉપયોગ કરવામાં આવે. બીજો મુદ્દો દિલ્હી સરકાર દંગાથી પીડિતોને ન્યાય આપવા માટે ગૃહ મંત્રાલય પર દબાણ બનાવે. ત્રીજો મુદ્દો, 1984 શીખ દંગાનો ઉલ્લેખક કરતા ધારાસભ્યએ કહ્યું કે, “ શીખ દંગા વખતે વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે કોઈ મોટું વૃક્ષ પડે છે ત્યારે ધરતી હલી જાય છે. તેના આ નિવેદન બાદ શીખો પર જે રીતે અત્યાચાર થયો તેને જોતા અમે માનીએ છે કે આ ઘટનાક્રમ પાછળ રાજીવ ગાંધી જવાબદાર છે. તેથી દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પરત લેવાની માંગ સરકાર પાસે કરે છે અને તેના માટે આ પ્રસ્તાવ પાસ કરીએ છે” આ પ્રસ્તાવ પર દિલ્હી કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય માકને કહ્યું કે, રાજીવ ગાંધીએ દેશ માટે પોતાનું જીવન કુર્બાન કર્યું. પરંતુ આ પ્રસ્તાવથી આમ આદમી પાર્ટીનો અસલી રંગ ખુલીને સામે આવી ગયો છે. અમે હંમેશા એવું કહી રહ્યાં હતા કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ધારાસભ્ય ભારદ્વાજે ટ્વીટ કરી આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘આ પ્રસ્તાવ પાસ નથી થયો. આ વ્યક્તિગત રીતે રજૂ કરવામાં આવેલો પ્રસ્તાવ હતો. જેના પર હજું કોઈજ નિર્ણય લેવામાં આવ્યો નથી.’

ટોપ સ્ટોરી

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget