શોધખોળ કરો

Delhi Election Results: દિલ્હીમાં કેજરીવાલની જીત પાછળ પ્રશાંત કિશોરની ચૂંટણી રણનીતિ, જાણો

પ્રશાંત કિશોરે ટ્વિટ કરી દિલ્હીની જનતાનો આભાર માન્યો છે. અરવિંદ કેજરીવાલે તેમને ચૂંટણીની રણનીતિ બનાવવાની કામગીરી સોંપી હતી.

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ત્રીજી વખત દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. પ્રશાંત કિશોરે ટ્વિટ કરી દિલ્હીની જનતાનો આભાર માન્યો છે. અરવિંદ કેજરીવાલે તેમને ચૂંટણીની રણનીતિ બનાવવાની કામગીરી સોંપી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ બંનેએ ગળે મળતા હોય તેવી તસવીર પણ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીતની ક્રેડિટ અરવિંદ કેજરીવાલને જાય છે. પાણી, વિજળી, મોહલ્લા ક્લિનિકથી લઈને સ્કૂલમાં થયેલા તેમના કામોની સતત ચર્ચાઓ રહી. પરંતુ કામ કરી ગયો પ્રશાંત કિશોરનો આઈડિયા. એ આઈડિયા કે ભાજપની હિંદુત્વની ગેમમાં ન ફસાવું. આ જ કારણ રહ્યું કે સારા કામો કરવા છતાં પણ અરવિંદ કેજરીવાલે હનુમાન ચાલીસા વાંચવા પડ્યા. બજરંગબલીના મંદિરમાં માથુ ટેકવ્યું. આ વખતની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. હનુમાન ભક્તવાળો. ઘરણા પ્રદર્શનના એક્સપર્ટે શાહીનબાગ ન જવાની કસમ ખાઈ લીધી. જાવાનું તો દૂર, શાહીનબાગના નામથી પણ તેમણે અંતર રાખ્યું. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું હુ શાહીનબાગ સાથે છું નિવેદન પણ તેમને પસંદ ન આવ્યું. આમ આદમી પાર્ટીની બેઠકમાં નક્કી થયું કે કોઈ શાહીનબાગની ચર્ચા નહી કરે. છતાં પણ નાના મોટા નેતાઓ આનાથી બચતા રહ્યા. ભાજપના ઉકસાવા બાદ પણ કેજરીવાલની ટીમ આ ચક્કરમાં ન ફસાઈ. શાહીનબાગના કારણે સામ્પ્રદાયિક ધ્રુવીકરણ કરવાની ભાજપની કોશિશ બેકાર રહી. અમિત શાહથી લઈને કપિલ મિશ્રા સુધીએ શું-શું કહ્યું. આપના નેતાઓએ એક કાનથી સાંભળી બીજા કાનથી બહાર કાઢ્યું. પ્રશાંત કિશોર નહોતા ઈચ્છતા કે ભાજપની હિંદુત્વની પિચ પર આવીને કેજરીવાલ બેટિંગ કરે. આપના જે નેતાઓને કારણે બાજી બગડી શકતી હતી તેમને સાઈલેન્ટ કરી દેવામાં આવ્યા. અમાનતુલ્લાહ અને શોએબ ઈકબાલ જેવા મુસ્લિમ નેતાઓને શાંત રહેવાનું કહેવામાં આવ્યું. કોશિશ એ રહી કે ક્યાંથી પણ ધ્રુવિકરણને હવા ન મળે. દિલ્હીની જેમ પાંચ વર્ષ પહેલા બિહારમાં પણ ચૂંટણી હતી. લાલૂ યાદવ અને નીતીશ કુમારની જોડી સાથે ભાજપનો સીધો મુકાબલો હતો. ત્યારે લાલૂ યાદવ અને નીતીશ સાથે પ્રશાંત કિશોર હતા. ભાજપ તરફથી ત્યારે હિંદુસ્તાન અને પાકિસ્તાન કરાવવાનો પ્રયાસ થયો હતો. હિંદુ મુસલમાનનો માહોલ બની જાય એટલા માટે ભાજપે ખૂબ જોર લગાવ્યું. . પાર્ટી તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે ભાજપ હારશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. પરંતુ લાલૂ અને નીતીશ બસ સામજિક ન્યાયમાં એજન્ડા પર વાત કરતા રહ્યા. બંને પાર્ટીઓના મુસ્લિમ નેતાઓને ચૂંટણી પ્રચારમાંથી હટાવી લેવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે એ પ્રકારનું કોઈ નિવેદન ન આપો જેનાથી સાંમ્પ્રદયિક માહોલ બગડે. આ રણનીતિ પ્રશાંત કિશોરની હતી. પ્રશાંત પોતાની આ ચાલમાં સફળ રહ્યા. આ ફોર્મ્યૂલા આ વખતે દિલ્હી ચૂંટણીમાં પણ સફળ રહ્યો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget