શોધખોળ કરો

હાઇકોર્ટનો ચુકાદોઃ લગ્ન પહેલા બીમારી છુપાવવી છેતરપિંડી, રદ્દ થઈ શકે છે લગ્ન

ખંડપીઠે લગ્નને રદ્દ કરતા કહ્યું કે, કોઈપણ વ્યક્તિની તબિયત બગડી શકે છે, તે તેમની ભૂલ નથી. હાલના કિસ્સામાં યુવતીની તબિયત ખરાબ હતી. તેની સારવાર ચાલુ હતી

ભારતમાં લગ્નને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. આપણે એવા રાષ્ટ્રમાં છીએ જે લગ્નના મજબૂત પાયા પર ગર્વ અનુભવે છે. આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે લગ્ન પહેલા કોઈપણ પક્ષ દ્વારા બીમારી છુપાવવી એ છેતરપિંડી છે અને તે લગ્નને રદ કરવાનું કારણ બને છે. હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને બાજુ પર રાખ્યો અને વ્યક્તિના લગ્નને રદ્દ કરતો આદેશ જારી કર્યો.

તબિયત બગડવી તે વ્યક્તિની ભૂલ નથીઃ હાઇકોર્ટ

જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની ખંડપીઠે લગ્નને રદ્દ કરતા કહ્યું કે, કોઈપણ વ્યક્તિની તબિયત બગડી શકે છે, તે તેમની ભૂલ નથી. હાલના કિસ્સામાં યુવતીની તબિયત ખરાબ હતી. તેની સારવાર ચાલુ હતી. કોર્ટે કહ્યું કે મહિલાએ કબૂલ્યું છે કે તેને કોલેજ દરમિયાન માથાનો દુખાવો થતો હતો અને તે ભણવાનું ચૂકી ગઈ હતી.

પીઠે કહ્યું માથાનો દુખાવો - તે પોતે કોઈ રોગ નથી. તેઓ માત્ર રોગના લક્ષણો છે. મહિલાએ સ્પષ્ટ કર્યું નથી કે તેણીને આટલો તીવ્ર અને સતત માથાનો દુખાવો થવાનું કારણ શું હતું. શું આ બીમારીના કારણે તેણે અભ્યાસ છોડી દીધો હતો. બેન્ચે કહ્યું કે માનસિક વિકારથી પીડિત વ્યક્તિના બાળકોને પણ આ રીતે અસર થઈ શકે છે. લગ્નના લગભગ નવ અઠવાડિયા પછી, તેના પિતા તેને તેના ઘરે લઈ ગયા.

આ પ્રક્રિયામાં કમનસીબે અપીલ કરનાર પતિનું જીવન બરબાદ થઈ ગયું છે અને તે 16 વર્ષથી આ સંબંધમાં કોઈ નિરાકરણ વિના અટવાયેલો છે એમ બેન્ચે જણાવ્યું હતું. તેમના જીવનના સૌથી નિર્ણાયક વર્ષોમાં, જ્યારે અપીલકર્તા, વૈવાહિક આનંદ અને સંતોષનો આનંદ માણતા હતા ત્યારે માત્ર મહિલા દ્વારા જ નહીં પરંતુ તેના પિતા દ્વારા પણ છુપાવવામાં આવેલી માહિતીના કારણે તેમે સહન કરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં મહિલાની વાતને ફગાવી દેતા તેને નુકસાની તરીકે 10 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.

શું હતો મામલો

પતિએ દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેના લગ્ન 10 ડિસેમ્બર 2005ના રોજ થયા હતા. તેણે કહ્યું કે સાસરિયાઓએ તેની પત્નીની બીમારી છુપાવીને તેની સાથે છેતરપિંડી કરી હતી. મહિલા લગ્ન પહેલા અને અપીલકર્તા સાથે રહેતી વખતે એક્યુટ સ્કિઝોફ્રેનિયાથી પીડાતી હતી. લગ્ન પછી અને હનીમૂન દરમિયાન ઘરે અસામાન્ય રીતે વર્તન કર્યું હતું.જાન્યુઆરી 2006માં તેણે મહિલાને જીબી પંત હોસ્પિટલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઈડ સાયન્સ, એઈમ્સ, હિન્દુ રાવ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરો તપાસ કરીને દવા આપી હતી. ડૉક્ટરોએ કહ્યું કે તેણી તીવ્ર સ્કિઝોફ્રેનિયાથી પીડાતી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Embed widget