![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Delhi Employment: CM કેજરીવાલની મોટી જાહેરાત- આગામી પાંચ વર્ષમાં 20 લાખ રોજગારી સાથે રાજધાનીને બનાવાશે ફૂડ હબ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદ યોજીને દિલ્હી માટે મોટી જાહેરાત કરી છે
![Delhi Employment: CM કેજરીવાલની મોટી જાહેરાત- આગામી પાંચ વર્ષમાં 20 લાખ રોજગારી સાથે રાજધાનીને બનાવાશે ફૂડ હબ Delhi will generate 20 lakh jobs in next five years: Arvind Kejriwal Delhi Employment: CM કેજરીવાલની મોટી જાહેરાત- આગામી પાંચ વર્ષમાં 20 લાખ રોજગારી સાથે રાજધાનીને બનાવાશે ફૂડ હબ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/24/dcdd116caf3d7b6653463ed98991e6ec1658651777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Arvind Kejriwal On Employment: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદ યોજીને દિલ્હી માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે જાહેરાત કરી હતી કે દિલ્હીમાં આગામી 5 વર્ષમાં 20 લાખ નોકરીઓ આપવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીએ દિલ્હીને ફૂડ હબ બનાવવાની વાત કરી હતી.
दिल्ली में रोज़गार, व्यापार और अर्थव्यवस्था को लेकर बड़ी ख़ुशख़बरी। दिल्ली के "Food Hubs" को दिल्ली सरकार देगी नई पहचान।| Press Conference | LIVE https://t.co/IqbR7rTHPw
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 24, 2022
અરવિંદ કેજરીવાલે કહ્યું કે બેરોજગારી આજે એક ગંભીર સમસ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમારી સરકારે 12 થી 13 લાખ યુવાનોને રોજગારી આપી છે. સાથે જ અમે નિર્ણય લીધો છે કે આગામી 5 વર્ષમાં ઓછામાં ઓછા 20 લાખ લોકોને રોજગારી આપવામાં આવે. તેમણે કહ્યું કે દિલ્હીને ભારતની ફૂડ કેપિટલ માનવામાં આવે છે. દિલ્હીમાં દુનિયાભરના તમામ પ્રકારના ફૂડ ઉપલબ્ધ છે. ક્યાંક તિબેટીયન તો ક્યાંક ચાઈનીઝ તો ક્યાંક કોઈને કોઈ પ્રકારનું ખાવાનું મળે છે. હવે સરકાર તેમને વિકસાવવાની યોજના બનાવી રહી છે, જેથી તેનો સીધો ઉદ્દેશ્ય રોજગારી પેદા કરવાનો છે.
ફૂડ હબને બ્રાન્ડેડ કરવામાં આવશેઃ કેજરીવાલ
સીએમ કેજરીવાલે વધુમાં કહ્યું કે, અમે તેમનું ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઠીક કરીશું અને પછી ખાદ્ય સુરક્ષાની વ્યવસ્થા કરીશું. આ સાથે ફૂડ હબનું બ્રાન્ડિંગ કરવામાં આવશે જેથી કરીને દેશ અને દુનિયામાંથી લોકો આવી શકે. સીએમ કેજરીવાલે વધુમાં કહ્યું કે, અમને આશા છે કે આનાથી ઘણી રોજગારી ઉભી થશે. પ્રથમ તબક્કામાં અમે બે ફૂડ હબ બનાવીશું - મજનુ કા ટીલા અને ચાંદની ચોક.
કેજરીવાલે વધુમાં કહ્યું કે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ અંગે ઘણી બેઠકો કરી છે. અમે આ માટે ડિઝાઇન સ્પર્ધા યોજીશું જેથી આ બે ફૂડ હબ ડિઝાઇન કરવામાં આવે. સીએમ કેજરીવાલે કહ્યું કે તે 6 અઠવાડિયામાં થઈ જશે. બાકીના ફૂડ હબને તેમના અનુભવના આધારે વિકસાવવામાં આવશે. તેનાથી ઘણી રોજગારી સર્જાવાની અપેક્ષા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)