શોધખોળ કરો

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા

Devendra Fadnavis Takes Oath As CM: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાક્રિષ્નને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે એકનાથ શિંદે અને અજિત પવારે પણ શપથ લીધા હતા.

Maharashtra Oath Ceremony: મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુરુવારે (5 ડિસેમ્બર) મહાયુતિ ગઠબંધનની નવી સરકારની રચના કરવામાં આવી હતી. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ સાથે નવી સરકારમાં ફરીથી બે ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવી છે. શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને NCP પ્રમુખ અજિત પવારને ડેપ્યુટી સીએમની જવાબદારી મળી છે.

 

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. અગાઉની સરકારમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા જ્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCP અધ્યક્ષ અજિત પવાર ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવી રહ્યા હતા. હવે નવી સરકારમાં નેતૃત્વ બદલાયું છે.

 

શપથ ગ્રહણ સમારોહમાં પીએમ સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો

મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે, ઘણા કેન્દ્રીય પ્રધાનો, મહાયુતિ ગઠબંધનના ઘણા વરિષ્ઠ નેતાઓ અને ઘણા રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમએ પણ ભાગ લીધો હતો. નારાજગીની અટકળો વચ્ચે, શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ પદ સ્વીકારીને છેલ્લી ક્ષણે શપથ લીધા.

એકનાથ શિંદે ક્યારેય CM નહીં બની શકે? સંજય રાઉતનું મોટું નિવેદન

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસ, ઉપ-મુખ્યમંત્રી માટે એકનાથ શિંદે અને અજીત પવાર નામ સ્પષ્ટ થઈ ગયું છે. આજે ગુરુવારે (5 ડિસેમ્બર) ત્રણેય નેતાઓ પોતપોતાના પદના શપથ લેશે. આ વચ્ચે શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે ફરી વખત CM ન બનાવવા પર એકનાથ શિંદે પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, શિંદેનો સમય પૂરો થઈ ગયો છે. હવે તેમને ફેંકી દેવામાં આવ્યા છે. ભાજપ શિંદેની પાર્ટીને તોડી શકે છે. સંજય રાઉતે કહ્યું, "એકનાથ શિંદે ક્યારેય રાજ્યના મુખ્યમંત્રી નહીં બની શકે. બહુમતી મળ્યા બાદ 15 દિવસ સરકાર બનાવવામાં લાગ્યા છે. આ લોકો સ્વાર્થ માટે સરકાર ચલાવી રહ્યા છે. જનતા આ પરિણામથી સંમત નથી. નવી સરકારનું અમે સ્વાગત કરીએ છીએ. 

આ પણ વાંચો....

ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Embed widget