શોધખોળ કરો

Maharashtra New Home Minister: અનિલ દેશમુખના રાજીનામા બાદ આ નેતા સંભાળશે મહારાષ્ટ્રના ગૃહમંત્રીનું પદ

બોમ્બે હાઈકોર્ટના આ આદેશ બાદ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પદ પરથી રાજીનામું આપી દિધુ છે. તેમણે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું છે.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (parambir singh)તરફથી દાખલ પીઆઈએલ(PIL) પર બોમ્બે હાઈકોર્ટે (Bombay High court)નિર્ણય સંભળાવતા અનિલ દેશમુખ(Anil deshmukh) સામે સોમવારે સીબીઆઈ (CBI)તપાસના આદેશ આપ્યા છે. બોમ્બે હાઈકોર્ટના આ આદેશ બાદ દેશમુખે મહારાષ્ટ્ર(Maharashtra)ના ગૃહ મંત્રી પદ પરથી રાજીનામું આપી દિધુ છે. તેમણે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું છે. સૂત્રો મુજબ, હવે ગૃહ મંત્રી પદનો ચાર્જ દિલીપ વલસે પાટિલને સોંપવામાં આવશે. આ સાથે જ દિલીપ વસે પાટિલ પાસે જે એક્સાઈઝ મિનિસ્ટ્રી છે તે અજિત પવારને સોંપવામાં આવશે. 

અનિલ દેશમુખે રાજીનામાંમા લખ્યું- આજે એડવોકેટ જયશ્રી પાટિલની અરજી પર માનનીય હાઇકોર્ટ દ્વારા CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે. માટે હું નૈતિક આધાર પર ગૃહ મંત્રીના પદ પરથી રાજીનામું આપું છું. હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે મને ગૃહમંત્રી પદ પરથી મુક્ત કરવામાં આવે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને રાજીનામું આપતા દેશમુખે કહ્યું કે બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ તેમનું પદ પર રહેવું યોગ્ય નથી. જ્યારે, એનસીપી નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું 'હાઈકોર્ટના આદેશ બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે શરદ પવાર અને અન્ય પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું તેઓ આ પદ પર નથી રહેવા માંગતા. તે મુખ્યમંત્રીને રાજીનામું આપવા ગયા છે. પાર્ટીએ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે કે અનિલ દેશમુખના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવે.'

17 માર્ચે મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી પરમબીર સિંહને હટાવવામાં આવ્યા હતા. પદ પરથી હટાવાતા પરમબીર સિંહે 20 માર્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ગંભીર આક્ષેપો કરતા પોલીસ અધિકારી સચિન વાઝે મારફત બાર અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા પાસે 25 ફેબ્રુઆરીએ એક સંદિગ્ધ કાર મળી હતી. જેમાં જિલેટિનની 20 સ્ટીર મળી આવી હતી. આ મામલે તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી. હવે આ કેસમાં એનઆઈએ તપાસ કરી રહ્યું છે. એનઆઈએ દ્વારા 13 માર્ચે સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડેDhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
Embed widget