શોધખોળ કરો

‘ખૂબ ઓછા સમયમાં શેખ હસીનાએ માંગી ભારત આવવાની મંજૂરી’, રાજ્યસભામાં બાંગ્લાદેશ પર બીજું શું બોલ્યા એસ જયશંકર?

Bangladesh Crisis: બાંગ્લાદેશની સ્થિતિ પર વિદેશ મંત્રીએ જણાવ્યું કે, સ્થિતિ સામાન્ય થવા સુધી સરકાર ઢાકામાં અધિકારીઓના સંપર્કમાં છે, ઉપરાંત જણાવ્યું કે, 19,000 ભારતીયો ત્યાં હજુ ફસાયેલા છે.

Bangladesh Crisis News: ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે. બગડતી પરિસ્થિતિ અંગે, વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે (06 ઓગસ્ટ) રાજ્યસભામાં બોલતા કહ્યું કે, પૂર્વ પીએમ શેખ હસીનાએ ખૂબ જ ઓછા સમયમાં ભારતની મુલાકાત લેવાની પરવાનગી માંગી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે તે જ સમયે અમને બાંગ્લાદેશ સત્તાવાળાઓ તરફથી ફ્લાઇટની પરવાનગી માટે વિનંતી મળી હતી. જે બાદ તે ગઈકાલે સાંજે એટલે કે સોમવારે (5 ઓગસ્ટ) દિલ્હી પહોંચી હતી.

એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે ભારત સરકાર બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે ખૂબ જ ઓછા સમયમાં શેખ હસીનાએ ગઈકાલે થોડા સમય માટે ભારત આવવાની પરવાનગી માંગી હતી અને તેમની વિનંતી સ્વીકારવામાં આવી હતી. આ સાથે ભારત બાંગ્લાદેશના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

ભારત સરકાર છેલ્લા 24 કલાકથી ઢાકાના સંપર્કમાં

એસ જયશંકરે વધુમાં જણાવ્યું કે, "છેલ્લા 24 કલાકમાં, અમે ઢાકામાં સત્તાવાળાઓ સાથે પણ સતત સંપર્કમાં છીએ. અત્યારે તે જ સ્થિતિ છે. હું મહત્વપૂર્ણ પડોશીને લગતા સંવેદનશીલ મુદ્દાઓ અંગે ગૃહની સમજણ અને સમર્થન માંગું છું. જેના પર હંમેશા મજબૂત રાષ્ટ્રીય સર્વસંમતિ રહી છે. જયશંકરે એમ પણ કહ્યું કે સરકાર પાડોશી દેશમાં લઘુમતીઓની સ્થિતિ પર નજર રાખી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, હસીનાની વિદાય બાદ થયેલી હિંસામાં હિંદુ મંદિરો પર હુમલા અને તોડફોડ કરવામાં આવી હતી.

'બીએસએફને તકેદારી વધારવા અને સતર્ક રહેવા સૂચના અપાઈ'

વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું કે કેટલાક જૂથો અને સંગઠનો સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેખરેખ રાખી રહ્યા છે. અમે આનું સ્વાગત કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી સ્વાભાવિક રીતે અમે અત્યંત ચિંતિત રહીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સીમા સુરક્ષા દળોને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

બાંગ્લાદેશમાં ફસાયેલા લગભગ 19 હજાર ભારતીયો- એસ જયશંકર

રાજ્યસભાને સંબોધતા મંત્રીએ કહ્યું, એવું અનુમાન છે કે ત્યાં 19,000 ભારતીય નાગરિકો ફસાયેલા છે, જેમાંથી લગભગ 9,000 ભારતીય વિદ્યાર્થીઓ છે. જો કે, આમાંથી ઘણા વિદ્યાર્થીઓ જુલાઈમાં આવ્યા હતા. અમે લઘુમતીઓની સ્થિતિ વિશે પણ ચિંતિત છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
Embed widget