શોધખોળ કરો

Earthquake: મહારાષ્ટ્રથી જમ્મુ-કાશ્મીર સુધી ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તીવ્રતા કેટલી હતી અને શું થયું નુકસાન

કટરાથી 62 કિમી દૂર ઉત્તર-પૂર્વ-ઉત્તરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

Earthquake: મહારાષ્ટ્રથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. મહારાષ્ટ્રમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 અને કાશ્મીરમાં 3.4 માપવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કટરાથી 62 કિમી દૂર ઉત્તર-પૂર્વ-ઉત્તરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

કોલ્હાપુરથી 171 કિમી પૂર્વમાં મહારાષ્ટ્રમાં બપોરે 2.21 કલાકે 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની અસર જમીનથી 10 કિલોમીટર નીચે સુધી હતી. કાશ્મીરમાં સવારે 3:28 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં ભૂકંપની ઊંડાઈ જમીનથી પાંચ કિલોમીટર નીચે હોવાનું જાણવા મળ્યું હતું. તે જ સમયે, અફઘાનિસ્તાનના કાબુલમાં બપોરે 2:55 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહીં ભૂકંપની અસર જમીનની નીચે 80 કિમીની ઊંડાઈએ હતી.

ખીણમાં ત્રણ દિવસમાં 10 વખત ભૂકંપના આંચકા

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં 10 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે રાત્રે પણ જમ્મુ-કાશ્મીરમાં એક કલાકમાં બે વાર ધરતી ધ્રૂજી. બુધવારે રાત્રે ખીણમાં પહેલો ભૂકંપ રાત્રે 11:04 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 હતી. બીજો ભૂકંપ રાત્રે 11:52 કલાકે 4.1ની તીવ્રતા સાથે આવ્યો હતો.

મંગળવારે સાત વખત ભૂકંપ આવ્યો હતો. તેમાંથી ત્રણ ભૂકંપનું કેન્દ્ર ઉધમપુર, ત્રણ ડોડા અને એક કિશ્તવાડ હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 થી 3.9 માપવામાં આવી હતી. જણાવી દઈએ કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા વધુ હોવાને કારણે ખીણમાં કોઈ નુકસાન થયું નથી. હાલમાં, આ સ્થળોએ ભૂકંપને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વધુ અપડેટ આવવાના બાકી છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget