શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં CM પર સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદે 'આઉટ ઓફ રીચ'! નેટવર્ક વગરના ગામમાં પહોંચ્યા ? 

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જોરદાર સફળતા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે મહાયુતિ કોઈપણ સમસ્યા વગર સરકાર બનાવશે.

Eknath Shinde on Mahayuti New Cabinet: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જોરદાર સફળતા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે મહાયુતિ કોઈપણ સમસ્યા વગર સરકાર બનાવશે. જોકે, મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય ડ્રામાને કારણે મહાગઠબંધનના શપથ ગ્રહણ સમારોહમાં વિલંબ થઈ રહ્યો છે. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મહાયુતિનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાશે. આ દરમિયાન, એકનાથ શિંદેની નારાજગી અને મૌનને જોતા શંકા ઉભી થઈ છે કે શું મહાયુતિનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે થશે કે કેમ ?

એબીપી માઝા અનુસાર, રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને કારણે મહાયુતિમાં ખાસ કરીને ભાજપમાં બેચેની વધી છે. આવી સ્થિતિમાં આ તમામ ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. એકનાથ શિંદેએ શુક્રવારે સાંજે વર્ષા બંગલામાં પસંદગીના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ પછી તેઓ સતારા જિલ્લાના દરે ગામ જવા રવાના થયા. આ સંદર્ભે શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટે સાંકેતિક નિવેદન આપ્યું હતું.

શું એકનાથ શિંદે લેશે કોઈ મોટો નિર્ણય ?

તેમણે કહ્યું, "જ્યારે પણ એકનાથ શિંદે કોઈ રાજકીય મૂંઝવણનો સામનો કરે છે, જ્યારે તેમને લાગે છે કે તેમને વિચારવા માટે સમયની જરૂર છે, ત્યારે તેઓ તેમના ગામ જાય છે. દરે ગામમાં તેમને મોબાઈલ ફોનની જરૂર નથી. ત્યાં તેઓ આરામથી નિર્ણય લે છે. જ્યારે પણ તેમને કોઈ મોટો નિર્ણય લેવાનો હોય છે તેઓ ચોક્કસપણે તેમના ગામ જતા રહે છે. હવે જ્યારે તેઓ ઘરે આવ્યા છે તો  કદાચ કાલે સાંજ સુધીમાં તે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. રાજ્યમાં જે રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેને લઈ તેઓ કોઈ નિર્ણય લઈ શકે છે. "

આપને જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહાયુતિના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની પુષ્ટિ કરવામાં આવી હતી. આ મીટીંગમાં યોજાયેલા ફોટો સેશનમાં એકનાથ શિંદેનો ચહેરો ઉદાસ જોવા મળ્યો હતો. મહાયુતિના નેતાઓ દિલ્હીથી પરત ફર્યા બાદ ગુરુવારે મુંબઈમાં ખાતાની ફાળવણીને લઈને બેઠક યોજાવાની હતી. જોકે, ગુરુવારે યોજાનારી મહાયુતિની બેઠક રદ કરવામાં આવી હતી.

એકનાથ શિંદે પણ અચાનક વર્ષા બંગલામાંથી બેગ પેક કરીને સતારામાં પોતાના વતન દરે જવા રવાના થયા. શુક્રવારે દરે ગામ પહોંચ્યા બાદ એકનાથ શિંદે કોઈની સાથે વાત કર્યા વગર ઘરથી નીકળી ગયા હતા. એકનાથ શિંદે આજે દિવસ દરમિયાન ગામના જનની માતા મંદિર અને ઉત્તરેશ્વર મંદિરની મુલાકાત લઈ શકે છે. તો હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જાગી છે કે એકનાથ શિંદેના મનમાં ખરેખર શું ચાલી રહ્યું છે ?  

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget