શોધખોળ કરો

Factory Blast: પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 7 લોકોના મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

તેમણે કહ્યું હતું કે વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

West Bengal Factory Blast: મંગળવારે (16 મે) પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના એગરામાં એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં સાત લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. આ બ્લાસ્ટ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. બીજેપી પ્રદેશ અધ્યક્ષે એગરા બ્લાસ્ટની NIA તપાસની માંગ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જે મકાનમાં આ ફેક્ટરી ચાલી રહી હતી તે ઘર ધરાશાયી થઈ ગયું હતુ.

તેમણે કહ્યું હતું કે વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ એક ઘરની અંદર થયો જ્યાં ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ગયા મહિને ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી છતાં અહીં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા.

મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે એગરામાં એક ઘટના બની છે, તે ઓડિશા બોર્ડર પાસે છે. આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ચાર્જશીટ હતી. તેને જામીન મળી ગયા હતા. તેણે ફરીથી ગેરકાયદેસર રીતે ધંધો શરૂ કર્યો હતો.  બે મહિના પહેલા ભાજપે તે ગ્રામ પંચાયત જીતી હતી. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હતા. માલિક ઓરિસ્સા ભાગી ગયો છે. CIDને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તે કાયદો અને વ્યવસ્થા સાથે સંબંધિત નથી, તે એક ગેરકાયદેસર ફેક્ટરી છે.

"કેન્દ્રીય તપાસ સામે કોઈ વાંધો નથી"

તેમણે કહ્યું હતું કે અમે જોઈ રહ્યા છીએ કે આમાંથી કેટલી ગેરકાયદે ફેક્ટરીઓ છે. અમે મૃતકોને 2.5 લાખ રૂપિયા વળતર તરીકે આપીશું. એનઆઈએ-એનઆઈએની બૂમો પાડનારાઓ સામે મને કોઈ વાંધો નથી. NIA મારફતે ન્યાય મળે તો મને કેમ વાંધો હશે. અમે અમારી તપાસ શરૂ કરી છે. રાજકારણને આમાંથી દૂર રાખો અને પોલીસને તેમનું કામ કરવા દો. આ સમય રાજનીતિ કરવાનો નથી પરંતુ લોકોની મદદ કરવાનો છે. મને કોઈપણ કેન્દ્રીય તપાસ સામે કોઈ વાંધો નથી.

ભાજપે સવાલો ઉઠાવ્યા હતા

ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અંગે બીજેપી નેતા અગ્નિમિત્રા પોલે કહ્યું હતું કે કે પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગની વાત કરીએ તો બધે જ બોમ્બ ફેક્ટરીઓ છે, કારણ કે જ્યારે પણ બ્લાસ્ટ થાય છે ત્યારે પહેલા ખબર પડે છે કે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, પરંતુ બાદમાં જ્યારે તપાસ થાય તો જાણવા મળે છે કે તે બોમ્બ બનાવવાની ફેક્ટરી હતી અને તેની કડીઓ અલ-કાયદા જેવા વિવિધ આતંકવાદી સંગઠનો સાથે છે. આ પહેલા અમે મેદિનીપુર, આસનસોલમાં પણ જોયું છે.

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Embed widget