શોધખોળ કરો

અમિત શાહને જેલમાંથી બહાર કઢાવનાર ધૂરંધર વકીલનું નિધન, જાણો વિગતે

જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન મોદી સહિત દિલ્હીના મુખ્યમંત્રી, સુબ્રમણ્યમ સ્વામી અને અનેક નેતાઓએ દુખ વ્યક્ત કર્યું હતું

નવી દિલ્હીઃ દેશના જાણીતા વકીલ અને નેતા રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયતી રામ જેઠમલાણી પથારીવશ હતા. રામ જેઠમલાણી જાણીતા વકીલ અને આરજેડીના રાજ્યસભા સાંસદ પણ હતા. જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન મોદી સહિત દિલ્હીના મુખ્યમંત્રી, સુબ્રમણ્યમ સ્વામી અને અનેક નેતાઓએ દુખ વ્યક્ત કર્યું હતું. રામ જેઠમલાણી અને બીજેપી સંબંધો..... હાલના ગૃહમંત્રી અમિત શાહનો સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ રામ જેઠમલાણી લડ્યા હતા, અને અંતે અમિત શાહને જેલમાંથી બહાર કઢાવ્યા હતા. 2 ઓગસ્ટ 2010ના રોજ અમિત શાહના કેસમાં ગુજરાત આવ્યા અને બાદમાં કેસની પેરવી કરી હતી. આ કેસમાં અમિત શાહની સીબીઆઇએ ધરપકડ કરી હતી. અમિત શાહને જેલમાંથી બહાર કઢાવનાર ધૂરંધર વકીલનું નિધન, જાણો વિગતે 23 જુલાઈ 2010ના રોજ અમિત શાહ સામે આરોપનામુ દાખલ કરાયુ હતુ અને બાદમાં 25 જુલાઇએ 2010ના દિવસે અમિત શાહની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા. બાદમાં અમિત શાહને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રામ જેઠમલાણીએ અમિત શાહનો કેસ લડ્યો અને ગુજરાત આવીને જમીન પણ અપાવ્યા હતા. અમિત શાહને જેલમાંથી બહાર કઢાવનાર ધૂરંધર વકીલનું નિધન, જાણો વિગતે વડાપ્રધાન મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, રામ જેઠમલાણીજીના નિધનથી ભારતના એક અસાધારણ વકીલ અને પ્રતિષ્ઠિત સાર્વજનિક વ્યક્તિ ગુમાવી દીધાં છે. રામ જેઠમલાણીએ ન્યાયાલય અને સંસદ બન્નેમાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેઓ મજાકિયા, સાહસી અને ગમે ત્યારે કોઈ પણ વિષય પર સાહસપૂર્વક બોલવામાં સંકોચ રાખતા નહોતા. ઉલ્લેખનીય છે જેઠમલાણીએ આજથી બે વર્ષ પહેલા વકિલાત છોડી દીધી હતી. રામ જેઠમલાણીના નામ એક ખાસ રેકોર્ડ પણ નોંધાયેલો છે. તેમણે 17 વર્ષની ઉંમરમાં વકીલાતની પરિક્ષા પાસ કરી લીધી હતી. તેમણે કોર્ટની વિશેષ મંજૂરી બાદ 18 વર્ષની ઉંમરમાં જ વકીલાત શરૂ કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ  કારો થઇ ખૂબ સસ્તી
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ કારો થઇ ખૂબ સસ્તી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ  કારો થઇ ખૂબ સસ્તી
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ કારો થઇ ખૂબ સસ્તી
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
Rohit Sharmaની ફિટનેસ પર સવાલ ઉઠાવનારને સૂર્યકુમાર યાદવે આપ્યો જડબાતોડ જવાબ
Rohit Sharmaની ફિટનેસ પર સવાલ ઉઠાવનારને સૂર્યકુમાર યાદવે આપ્યો જડબાતોડ જવાબ
Embed widget