શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદા પર લાગવ્યો પ્રતિબંઘ, ચાર સભ્યોની બનાવી કમિટી. સમીતિમાં કયા મેમ્બર સામેલ?

ત્રણ નવા કૃષિ કાયદાઓને પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. પરંતુ કમિટી બન્યા બાદ હવે સવાલ એ છે કે, શું ખેડૂત સંગઠન આ કમિટીની સાથે વાતચીત કરશે?

નવી દિલ્લી:સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર એક મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર હાલ પ્રતિબંધ લગાવવાનો  નિર્ણય કર્યો છે. આ સાથે કોર્ટ એક કમિટીની પણ રચના કરી છે. જેમાં ભારતીય કિશાન યુનિયનના પ્રેસિડન્ટ  ભૂપિંદર માનસિંહ, ઇન્ટરનેશનલ પોલીસી હેડ ડો. પ્રમોદ જોશી, એગ્રિકલ્ચર ઇકોનોમિસ્ટ અશોક ગુલાટી, શેતકરી સંગઠનના અનિલ ધનવતનો સમાવેશ થાય છે. જો કે અહીં સવાલ થાય છે કે, શું આ કમિટી સાથે ખેડૂત સંગઠન વાતચીત કરશે? કારણ કે, ખેડૂત સંગઠને આ પહેલા પણ સ્પષ્ટ કર્યું છે કે, કાયદા પર પ્રતિબંધના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ પરંતુ હવે અમે કોઇ કમિટી સાથે વાતચીત નહીં કરીએ. કોર્ટમાં શું થયું ? આંદોલનકારીઓનું સમર્થન કરનાર વકીલ વિકાસ સિંહે જણાવ્યું કે, લોકોને રામલીલા મેદાનમાં જગ્યા મળવી જોઇએ. જ્યાં પ્રેસ અને મીડિયા પણ તેને જોઇ શકે, જો કે પ્રસાશન તેને દૂર જગ્યા આપવા માંગે છે. આ મુદે જસ્ટીસે જણાવ્યું કે રેલી માટે પ્રસાશનને અરજી આપવાની હોય છે. પોલીસ શરતો મૂકે છે અને પાલન ન થવાથી મંજૂરી રદ પણ થઇ શકે છે. જસ્ટીસે કોર્ટમાં પૂછ્યું હતું કે, શું આ મુદ્દે કોઇ અરજી અપાઇ હતી. જો કે વકીલ વિકાસ સિંહને આ મુદ્દે કોઇ જાણકારી ન હતી. સુનાવણી દરમિયાન હરિશ સાલ્વેએ જણાવ્યું કે, આંદોલનમાં વૈંકૂવર સંગઠન સીખ ફોર જસ્ટિસના બેનર પણ દેખાય છે. જે અલગતાવાદી સંગઠન છે. જે અલગ ખાલિસ્તાન ઇચ્છે છે. આ મુદ્દે સીજેઆઇએ પૂછ્યું કે, શું તેને કોઇએ રેકોર્ડ કરી રાખ્યું છે. તો સોલિસીટરે જણાવ્યું કે, એક અરજીમાં ઉલ્લેખ છે. કોર્ટની કાર્યવાહીથી એ સંકેત ન જવો જોઇએ કે, ખોટા લોકોનું સમર્થન થઇ રહ્યું છે. સીજેઆઇએ કર્યું, અમે માત્ર સકારાત્મકતાનું જ સમર્થન કરીએ છીએ. ભારતીય કિસાન યૂનિયનના વકીલે જણાવ્યું કે, વૃદ્ધો, બાળકો અને મહિલાઓ આંદોલનમાં ભાગ નહીં લે, જેના જવાબમાં ચીફ જસ્ટિસે કહ્યું કે,. અમે તમારા નિવેદનને રેકોર્ટ પર લઇ રહ્યાં છીએ. ખેડૂત સંગઠનના વકીલ દુષ્યંત દવે, ભૂષણ, ગોંજાલિવ્સિ સ્ક્રિન પર જોવા નથી મળતા. કાલે દવેએ જણાવ્યું હતું કે, સુનાવણી મુલતવી રાખવામાં આવે અને તે ખેડૂત સાથે વાત કરશે. જો કે ત્યારબાદ હરિશ સાલ્વેએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે.લોકો સમાધાન નથી ઇચ્છતા. આ માટે કમિટી બનાવી દેવામાં આવે. જે લોકો સમાધાન ઇચ્છે છે કમિટી સાથે વાતચીત કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget