શોધખોળ કરો

Farooq Abdullah: માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં લીન થયા ફારુક અબ્દુલ્લા, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ગાઈને બધાને ચોંકાવ્યા,જુઓ વીડિયો

Farooq Abdullah: નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ રોપવે પ્રોજેક્ટ અંગે કહ્યું કે મંદિર ચલાવનારાઓએ એવું કંઈ ન કરવું જોઈએ જે સ્થાનિક લોકોના હિતોને નુકસાન પહોંચાડે.

Farooq Abdullah News: નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા એક સદાબહાર રાજકારણી છે. રાજકારણની સાથે, ધાર્મિક મુદ્દાઓ પર તેમના જુદા જુદા વિચારો સમયાંતરે જોઈ શકાય છે. ફરી એકવાર ફારુક અબ્દુલ્લા વૈષ્ણો દેવી મંદિર પાસે કટરા સ્થિત એક આશ્રમમાં માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. તેમણે કટરા આશ્રમમાં 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ભજન ગાઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

 

હવે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પહેલા એપ્રિલ 2024 માં પણ તેમનો રામધૂન ગાતો એક વીડિયો વાયરલ થયો હતો.

રોપવેના મુદ્દા પર કટરાના લોકોને ટેકો આપ્યો

હકીકતમાં, ફારુક અબ્દુલ્લા, કટરા સ્થિત એક આશ્રમમાં 'ભજન' કાર્યક્રમમાં એક ગાયક અને બાળકો સાથે જોડાયા, તેમણે ગાયું, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે, મૈં આયા, મૈં આયા શેરાવાલીયે.' આ પ્રસંગે બોલતા, તેમણે રોપવે પ્રોજેક્ટ સામે કટરાના લોકો માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "જે લોકો મંદિર ચલાવે છે તેમણે એવું કંઈ ન કરવું જોઈએ જે સ્થાનિક લોકોના હિતોને નુકસાન પહોંચાડે અથવા તેમના માટે સમસ્યાઓ ઉભી કરે."

સરકાર બનાવવાની કે ઉથલાવવાની સત્તા જનતા પાસે છે - અબ્દુલ્લા

તેમણે કહ્યું કે લોકોને સમજાયું છે કે શક્તિ સરકાર પાસે નથી, પરંતુ લોકો પાસે છે. અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકો પાસે સરકાર બનાવવાની કે પાડી દેવાની શક્તિ છે અને હવે અધિકારીઓ રોપવે ક્યાં બનાવવો જોઈએ તે અંગે વાત કરવા માટે તેમનો સંપર્ક કરી રહ્યા છે.

'ધર્મનો સ્વાર્થી હેતુઓ માટે દુરુપયોગ થાય છે'

તેમણે કહ્યું, "આ ટેકરીઓમાં રહેતા લોકો માતાના આશીર્વાદથી અહીં આજીવિકા મેળવવા આવે છે, પરંતુ તેમને ભૂલાવી દેવામાં આવ્યા છે. તેઓને લાગે છે તેઓ જ બધું છે. આ લોકો કંઈ નથી. જ્યારે ભગવાનની શક્તિ પ્રબળ હોય છે, ત્યારે અન્ય તમામ વસ્તુ ફિકી પડી જાય છે. તેમણે કહ્યું કે કેલિફોર્નિયામાં શું થઈ રહ્યું છે તે જુઓ. અબ્દુલ્લાએ કહ્યું કે બધા ધર્મોના મૂળભૂત શિક્ષણ સમાન છે અને ઘણીવાર લોકો પોતાના સ્વાર્થ માટે ધર્મનો દુરુપયોગ કરે છે. 

આ પણ વાંચો....

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Advertisement

વિડિઓઝ

Dharmendra Passes Away: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Family Tree:  ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Dharmendra Family Tree: ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Embed widget