શોધખોળ કરો

માતા નોકરી કરતી હોય તો પણ બાળકોનું ભરણ પોષણ કરવું પિતાની જવાબદારી, હાઇકોર્ટની ટિપ્પણી

પિતાની તેમના સગીર બાળકોનું ભરણપોષણ કરવાની કાયદાકીય અને નૈતિક જવાબદારી છે

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે પિતાની તેમના સગીર બાળકોનું ભરણપોષણ કરવાની કાયદાકીય અને નૈતિક જવાબદારી છે, પછી ભલે તેની માતા નોકરી કરતી હોય. જસ્ટિસ સંજય ધરની હાઈકોર્ટની બેન્ચે વધુમાં કહ્યું હતું કે માતા કામ કરતી હોવાનો અર્થ એ નથી કે પિતા તેમના બાળકોનું ભરણપોષણ કરવાની જવાબદારીમાંથી મુક્ત થાય છે.

કોર્ટે આ અવલોકન એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન કર્યું હતું, જેણે કહ્યું હતું કે તેની પાસે તેના સગીર બાળકોના ભરણપોષણ કરવા માટે પુરતી આવક નથી. તે વ્યક્તિએ એવી પણ દલીલ કરી હતી કે તેનાથી અલગ રહેતી તેની પત્ની એક વર્કિગ વુમન છે જેની પાસે બાળકોની સંભાળ રાખવા માટે પૂરતી આવક છે. જોકે કોર્ટે તેમની દલીલ ફગાવી દીધી હતી.

કોર્ટે કહ્યું હતું કે , "પ્રતિવાદીઓ (નાના બાળકો)ના પિતા હોવાના કારણે અરજદારની તેમની સંભાળ રાખવાની કાયદાકીય અને નૈતિક જવાબદારી છે. એ સાચું છે કે નાના બાળકોની માતા વર્કિગ વુમન છે અને તે પોતે પણ આવક મેળવે છે. પરંતુ તે અરજદારના પિતા હોવાના કારણે પોતાના બાળકોનું ભરણપોષણ કરવાની કાયદાકીય અને નૈતિક જવાબદારીમાંથી મુક્તિ મળી શકે નહીં. એટલા માટે અરજીકર્તાનો એ તર્ક છે કે પ્રતિવાદીઓની માતા નોકરી કરે છે એટલા માટે તેમને ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપી શકાય નહી તે નિરાધાર છે.

તેમણે વધુમાં દલીલ કરી હતી કે બાળકોની માતા એક સરકારી શિક્ષિકા છે અને તેમને સારો પગાર મળે છે. આવી સ્થિતિમાં બાળકોના ભરણપોષણની જવાબદારી તેમના એકલા પર મુકી શકાય નહી. કોર્ટ સમક્ષ એક વ્યક્તિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તેણે મેજિસ્ટ્રેટ કોર્ટના તેમના ત્રણ બાળકોમાંથી પ્રત્યેક માટે ભરણપોષણ તરીકે 4,500 રૂપિયા ચૂકવવાના આદેશને પડકાર્યો હતો. અરજદારે ભરણપોષણના આદેશને પડકાર્યા બાદ સેશન્સ કોર્ટે તેને ફગાવી દીધો હતો.

અરજદારે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેમની માસિક આવક માત્ર 12,000 રૂપિયા છે અને તેના માટે તેના બાળકોના ભરણપોષણ માટે 13,500 રૂપિયા ચૂકવવા શક્ય નથી, ખાસ કરીને જ્યારે તેણે તેના બીમાર માતા-પિતાની પણ કાળજી લેવી પડે. જો કે, હાઈકોર્ટે કહ્યું કે અરજદારે ટ્રાયલ કોર્ટ સમક્ષ કોઈ પુરાવા રજૂ કર્યા નથી કે તે દર મહિને ફક્ત 12000 રૂપિયા કમાય છે. બીજી તરફથી કહેવામાં આવ્યું હતું કે અરજીકર્તા એક યોગ્ય એન્જિનિયર હતો જેણે અગાઉ વિદેશમાં પણ કામ કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Embed widget