શોધખોળ કરો

પૂરનો કહેર યથાવત, ગુજરાત સહિત ચાર રાજ્યોમાં 100થી વધુ લોકોના મોત

કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધી લગભગ 114 લોકોના મોત થયા છે.

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં પૂર અને અવિરત વરસાદ યથાવત છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધી લગભગ 114 લોકોના મોત થયા છે. જ્યારે માત્ર કેરળમાં 42 અને કર્ણાટકમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં કેટલકા જિલ્લાઓ વરસાદના પ્રકોપનો સામનો કરી રહ્યો છે. આ સિવાય મહારાષ્ટ્રના સાંગલીમાં પૂરની સ્થિતિ એવી છે કે જે રસ્તાઓ પર વાહનો ચાલતા હતા ત્યાં આજે બોટ ચાલી રહી છે. જો કે સાંગલી અને કોલ્હાપૂરમાં પૂરના પાણી ઓસરી  રહ્યાં છે. કેરળમાં મૂશળધાર વરસાદનો કહેર હાલ પણ યથાવાત છે. પૂર, ભૂસ્ખલન અને વરસાદ સંબંધી ઘટનાઓથી મૃતકોની સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. જ્યારે એક લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યાં છે. રાજ્યના 988 રાહત શિબિરોમાં 1,07,699 લોકોને સુરક્ષિત પહોંચાડવામં આવ્યા છે. વાયનાડથી સૌથી વધુ 24,990 લોકોએ આ શિબિરોમાં આશ્રય લીધો છે. રાહત અને બચાવ કાર્ય ચાલું છે. કર્ણાટકમાં પણ પૂરની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. રાજ્યમાં મોટભાગની નદીઓ ઉફાન પર છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં નેત્રવતી નદી ઉફાન પર આવતા પાણે મંગલુરુ ગામ જળમગ્ન થઈ ગયું છે. જિલ્લાના બંટવાલમાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જનાર્દન પુજારીનું મકાન પણ સામેલ છે. જો કે જનાર્દનના પરિવારના સભ્યોને બચાવી લીધા છે. કર્ણટક સરકારે રાજ્યમાં ભારે વરસાદ અને પૂરથી 6000 કરોડ રૂપિયાનું નુકસાનનું અનુમાન લગાવ્યું છે. કર્ણાટકમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કેન્દ્ર સરકાર પાસે સહાય માંગી છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં શનિવારે પૂરથી થોડી રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યાં છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ, નૌસેના, તટરક્ષક દળની ટીમ કામ કરી રહી છે. શુક્રવાર સુધી પૂરના કારણે મૃતકોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. ભીષણ પૂરની ચપેટમાં આવેલા કોલ્હાપુર, સાંગલી, સતારા,પૂણે અને શોલાપુર જિલ્લામાંથી 2.85 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યુ હતું. વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં 19 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. વરસાદના કારણે બનેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં અમદાવાદમાં ચાર, નડીયાદમાં ચાર, મોરબીમાં આઠ, નિઝર, કલોલ, અમરેલીમાં એક-એકના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશMangrol Gang Rape Case Verdict: સુરતના ચકચારી માંગરોળ ગેંગરેપ કેસમાં બે આરોપીને આજીવન કેદHospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશGujarat ST Nigam: એસટી નિગમના કર્મયોગીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
EPFO માં મોટો બદલાવ, અલગથી બની રહ્યું છે એક રિઝર્વ ફંડ! હવે વધારે સુરક્ષિત થશે PF ના પૈસા  
EPFO માં મોટો બદલાવ, અલગથી બની રહ્યું છે એક રિઝર્વ ફંડ! હવે વધારે સુરક્ષિત થશે PF ના પૈસા  
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.