શોધખોળ કરો

Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા, ટોળાએ IRB ચોકીઓ પર હુમલો કરી લૂંટ્યા હથિયાર

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. રાજ્યમાં બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ બાદ સ્થિતિ તંગ બની ગઈ છે

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. રાજ્યમાં બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. બેકાબૂ ભીડ અને સુરક્ષા જવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. મણિપુર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ સાત ગેરકાયદેસર બંકરોને નષ્ટ કર્યા હતા.

માહિતી અનુસાર, બેકાબૂ ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં બીજા IRB યુનિટની પોસ્ટ પર હુમલો કર્યો અને દારૂગોળા સહિત ઘણા હથિયારો લૂંટી લીધા. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે ટોળાએ મણિપુર રાઈફલ્સની બીજી અને 7TU બટાલિયનમાંથી હથિયારો અને દારૂગોળો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ હુમલાખોરોને ભગાડી દીધા હતા.

સુરક્ષા દળો અને ટોળા વચ્ચે ગોળીબાર

આ દરમિયાન સશસ્ત્ર દળો અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર પણ થયો હતો, જેમાં ઘણા સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ પણ હુમલાખોરો સામે જવાબી કાર્યવાહી કરી હતી. મણિપુર પોલીસનું કહેવું છે કે સ્થિતિ ફરીથી બેકાબૂ બની ગઈ છે. હથિયારો અને દારૂગોળો લૂંટવામાં આવ્યો છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા

આ પહેલા ગુરુવારે સાંજે બિષ્ણુપુરમાં સુરક્ષા દળો અને ટોળા વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ હવામાં ફાયરિંગની સાથે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ સાથે મણિપુરના ઇમ્ફાલ અને પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં કર્ફ્યુમાં આપવામાં આવેલી છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવી છે.

બિષ્ણુપુરમાં બફર ઝોન બનાવવામાં આવ્યો છે

વાસ્તવમાં બિષ્ણુપુરમાં બફર ઝોન બનાવવામાં આવ્યો છે, મૈતેઇનો વિરોધ કરી રહેલી મહિલાઓ તે બફર ઝોનને પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન આસામ રાઈફલ્સે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. સશસ્ત્ર દળોએ પહેલા મરચાંનો છંટકાવ કરીને ભીડને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડ શાંત થઈ નહીં. આ પછી સુરક્ષા દળોએ હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું

મણિપુરમાં 3 મેના રોજ પ્રથમ વખત હિંસા થઈ હતી

સૌપ્રથમ મણિપુરમાં 3 મેના રોજ હિંસા શરૂ થઈ હતી. મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)માં સમાવવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મણિપુરમાં પ્રથમ વખત જાતિઓ વચ્ચે અથડામણ થઈ હતી. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.

મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મૈતેઇ સમુદાયનો હિસ્સો છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. કુકી અને નાગા સમુદાયની વસ્તી 40 ટકાથી વધુ છે. આ લોકો પહાડી જિલ્લાઓમાં રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget