શોધખોળ કરો

નોટબંધીનો સરકારે સુપ્રીમ કોર્ટમાં કર્યો બચાવ, કહ્યુ- બ્લેકમની પર લગામ લગાવવા RBIની ભલામણ પર લાગુ કરાઇ હતી યોજના

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 2016 માં કરવામાં આવેલી નોટબંધીનો મજબૂત બચાવ કર્યો છે

SC On De-monetisation: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 2016 માં કરવામાં આવેલી નોટબંધીનો મજબૂત બચાવ કર્યો છે. કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં સરકારે જણાવ્યું હતું કે કરચોરી રોકવા અને કાળાં નાણાંને અંકુશમાં લેવા માટે આ એક સારી રીતે વિચારેલી યોજના હતી. તેનો હેતુ નકલી નોટોની સમસ્યાનો સામનો કરવાનો અને આતંકવાદીઓના ફંડિંગને રોકવાનો પણ હતો.

સરકારે કહ્યું કે રિઝર્વ બેંક દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી. ઘણી ચર્ચા અને તૈયારી બાદ તેનો અમલ કરવામાં આવ્યો હતો. 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી લોકોને થોડા સમય માટે ચલણી નોટોની અછતનો સામનો કરવો પડ્યો હતો.

નોટબંધીથી શું સમસ્યા હતી?

જૂની નોટો બદલવા બેંકોની બહાર પણ લાંબી કતારો જોવા મળી હતી. સરકારના આ નિર્ણયને 30 થી વધુ અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.  આ અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે તૈયારી વિના આ યોજના અમલમાં મુકવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ યોજના માત્ર નિયમો અને કાયદાઓને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવી નથી પરંતુ તેનાથી લોકોના બંધારણીય અધિકારોનું પણ ઉલ્લંઘન થયું છે.

આ મામલાની સુનાવણી કરતાં 5 જજોની બંધારણીય બેંચે સરકારને પૂછ્યું હતું કે નોટબંધી શા માટે લાગુ કરવામાં આવી? રૂ. 500 અને રૂ. 1000 ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેતા પહેલા કઇ પ્રક્રિયા અનુસરવામાં આવી હતી? તેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ નિર્ણય આર્થિક અને નાણાકીય નીતિનો એક ભાગ છે. કોર્ટમાં તેની સમીક્ષા થવી જોઈએ નહીં.

'નિયમોનું પાલન કર્યા વિના નોટબંધી લાગુ કરવામાં આવી હતી'

કેન્દ્ર સરકારે કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 હેઠળ, રિઝર્વ બેંક અને સરકારને કોઈપણ ચલણી નોટ પાછી ખેંચવાનો નિર્ણય કરવાનો અધિકાર છે. સરકારે એમ પણ કહ્યું છે કે નોટબંધીના થોડા સમય બાદ સંસદે પણ સ્પેસિફાઈડ બેંક નોટ્સ (સેસેશન ઓફ લાયેબિલિટી) એક્ટ, 2017 પસાર કર્યો હતો અને તેને મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં એવું કહી શકાય નહીં કે નિયમોનું પાલન કર્યા વિના નોટબંધી લાગુ કરવામાં આવી હતી.

સરકારે એવો પણ દાવો કર્યો હતો કે નોટબંધીનો નિર્ણય તેનો એકમાત્ર નહોતો. રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી. આ યોજના ઘણા વિચાર કર્યા પછી અમલમાં મુકવામાં આવી હતી અને તે પહેલા ઘણી તૈયારી કરવામાં આવી હતી. સમગ્ર મામલાની આગામી સુનાવણી 24 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં થવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget