શોધખોળ કરો

PM Modi : પીએમ મોદીએ અચાનક ઔરંગઝેબ અને મુઘલોનો કેમ કર્યો ઉલ્લેખ? ગુરૂ ગોવિંદ સિંહને કરી લાખો સલામ

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આજે પ્રથમ 'વીર બાલ દિવસ' ઉજવી રહ્યું છે. હું વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું અને તેમને મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

PM Modi On Mughal: રાજધાની દિલ્હીની મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં 'વીર બાલ દિવસ'ના અવસરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સાહિબજાદોના બલિદાનને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ વીર સાહિબજાદેને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમએ ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતો. પીએમએ પોતાના સંબોધનમાં મુઘલોનો તેમાં પણ ખાસ કરીને ઔરંગઝેબનો ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આજે પ્રથમ 'વીર બાલ દિવસ' ઉજવી રહ્યું છે. હું વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું અને તેમને મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે જાહેર કરવાની તક મળી તે બદલ હું તેને અમારી સરકારનું સદ્ભાગ્ય માનું છું. 

મુઘલ સલ્તનતનો ઉલ્લેખ

મુઘલોનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું હતું કે, દરેક ક્રૂર ચહેરાની સામે મહાનાયકો અને નાયિકાઓના પણ એકથી એક મહાન ચરિત્રો હતાં, પરંતુ એ પણ સત્ય છે કે ચમકૌર અને સરહિંદના યુદ્ધમાં જે થયું તે 'ના ભૂતો ના ભવિષ્યતિ' હતું. એક તરફ ધાર્મિક કટ્ટરતામાં અંધ એવી આટલી વિશાળ મુઘલ સલ્તનત, બીજી બાજુ જ્ઞાન અને તપસ્યામાં તલ્લીન આપણા ગુરુઓ, ભારતના પ્રાચીન માનવીય મૂલ્યોને જીવવાની પરંપરા. ચમકૌર અને સરહિંદનું યુદ્ધ ખરેખર અવિસ્મરણીય છે. તે 3 સદીઓ પહેલા લડાઈ હતી પરંતુ ભૂતકાળ એટલો યે જુનો નથી કે તેને ભૂલી શકાય. આ તમામના બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.

વીર સાહિબજાદે કોઈ ધમકીથી ડર્યા નહોતા

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, એક તરફ આતંકની પરાકાષ્ઠા હતી તો બીજી તરફ આધ્યાત્મિકતાનું શીર્ષ. એક તરફ ધાર્મિક ઉન્માદ હતો તો બીજી તરફ સૌમાં ભગવાનને જોવાની ઉદારતા. એક બાજુ લાખોની ફોજ હતી અને બીજી બાજુ ગુરુના બહાદુર સાહિબજાદે જે એકલા હોવા છતાંયે નિર્ભય બની ઉભા હતા. બહાદુર સાહિબજાદે કોઈની ધમકીથી ડર્યા નહોતા, કોઈની આગળ ઝૂક્યા પણ નહોતા.

ગુરુ ગોવિંદ સિંહજી પહાડ બની ઉભા હતાં

ઔરંગઝેબનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે, તે યુગની કલ્પના કરો. ઔરંગઝેબના આતંક વિરૂદ્ધ ભારતને બદલવાના તેના બદઈરાદાઓ વિરૂદ્ધ ગુરુ ગોવિંદ સિંહજી એક પહાડની માફક ઉભા હતાં.પરંતુ જોરાવર સિંહ સાહેબ અને ફતેહ સિંહ સાહેબ જેવા નાની ઉંમરના બાળકો સાથે ઔરંગઝેબ અને તેની સલ્તનત શું દુશ્મનાવટ હોય શકે?

"ઔરંગઝેબ તલવારના આધારે ધર્મ બદલવા માંગતો હતો"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવાલ કર્યો હતો કે, આખરે બે માસૂમ બાળકોને જીવતા ભીંતમાં ચણાવી દેવા જેવી હેવાનિયત કેમ કરવામાં આવી? એટલા માટે કારણ કે ઔરંગઝેબ અને તેના લોકો ગુરૂ ગોવિંદ સિંહના સંતાનોનો તલવારના જોરે ધર્મ બદલવા માંગતા હતા, પરંતુ ભારતના એ બહાદુર બાળકો, એ વીર બાળક જે મોતથી સહેજ પણ ના ડર્યા. તેઓ જીવતા દિવાલમાં ચણાઈ ગયા પરંતુ તેમણે આતંકીઓના બદઈરાદાઓને હંમેશા હંમેશઅ માટે દફનાવી દીધા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
લોનધારકો માટે ખુશખબર! આ બે બેંકોએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો વિગતો
લોનધારકો માટે ખુશખબર! આ બે બેંકોએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો વિગતો
નવી મીની કૂપર કન્વર્ટિબલ MINI Cooper Convertible, ટોપ સ્પીડ જાણીને ચોંકી જશો
નવી મીની કૂપર કન્વર્ટિબલ MINI Cooper Convertible, ટોપ સ્પીડ જાણીને ચોંકી જશો
માત્ર 7000 ની SIP કરીને તમે બનાવી શકો છો 1.30 કરોડનું ભંડોળ, જાણો સંપૂર્ણ ગણતરી
માત્ર 7000 ની SIP કરીને તમે બનાવી શકો છો 1.30 કરોડનું ભંડોળ, જાણો સંપૂર્ણ ગણતરી
Embed widget