શોધખોળ કરો

PM Modi : પીએમ મોદીએ અચાનક ઔરંગઝેબ અને મુઘલોનો કેમ કર્યો ઉલ્લેખ? ગુરૂ ગોવિંદ સિંહને કરી લાખો સલામ

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આજે પ્રથમ 'વીર બાલ દિવસ' ઉજવી રહ્યું છે. હું વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું અને તેમને મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

PM Modi On Mughal: રાજધાની દિલ્હીની મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં 'વીર બાલ દિવસ'ના અવસરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સાહિબજાદોના બલિદાનને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ વીર સાહિબજાદેને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમએ ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતો. પીએમએ પોતાના સંબોધનમાં મુઘલોનો તેમાં પણ ખાસ કરીને ઔરંગઝેબનો ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આજે પ્રથમ 'વીર બાલ દિવસ' ઉજવી રહ્યું છે. હું વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું અને તેમને મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે જાહેર કરવાની તક મળી તે બદલ હું તેને અમારી સરકારનું સદ્ભાગ્ય માનું છું. 

મુઘલ સલ્તનતનો ઉલ્લેખ

મુઘલોનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું હતું કે, દરેક ક્રૂર ચહેરાની સામે મહાનાયકો અને નાયિકાઓના પણ એકથી એક મહાન ચરિત્રો હતાં, પરંતુ એ પણ સત્ય છે કે ચમકૌર અને સરહિંદના યુદ્ધમાં જે થયું તે 'ના ભૂતો ના ભવિષ્યતિ' હતું. એક તરફ ધાર્મિક કટ્ટરતામાં અંધ એવી આટલી વિશાળ મુઘલ સલ્તનત, બીજી બાજુ જ્ઞાન અને તપસ્યામાં તલ્લીન આપણા ગુરુઓ, ભારતના પ્રાચીન માનવીય મૂલ્યોને જીવવાની પરંપરા. ચમકૌર અને સરહિંદનું યુદ્ધ ખરેખર અવિસ્મરણીય છે. તે 3 સદીઓ પહેલા લડાઈ હતી પરંતુ ભૂતકાળ એટલો યે જુનો નથી કે તેને ભૂલી શકાય. આ તમામના બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.

વીર સાહિબજાદે કોઈ ધમકીથી ડર્યા નહોતા

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, એક તરફ આતંકની પરાકાષ્ઠા હતી તો બીજી તરફ આધ્યાત્મિકતાનું શીર્ષ. એક તરફ ધાર્મિક ઉન્માદ હતો તો બીજી તરફ સૌમાં ભગવાનને જોવાની ઉદારતા. એક બાજુ લાખોની ફોજ હતી અને બીજી બાજુ ગુરુના બહાદુર સાહિબજાદે જે એકલા હોવા છતાંયે નિર્ભય બની ઉભા હતા. બહાદુર સાહિબજાદે કોઈની ધમકીથી ડર્યા નહોતા, કોઈની આગળ ઝૂક્યા પણ નહોતા.

ગુરુ ગોવિંદ સિંહજી પહાડ બની ઉભા હતાં

ઔરંગઝેબનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે, તે યુગની કલ્પના કરો. ઔરંગઝેબના આતંક વિરૂદ્ધ ભારતને બદલવાના તેના બદઈરાદાઓ વિરૂદ્ધ ગુરુ ગોવિંદ સિંહજી એક પહાડની માફક ઉભા હતાં.પરંતુ જોરાવર સિંહ સાહેબ અને ફતેહ સિંહ સાહેબ જેવા નાની ઉંમરના બાળકો સાથે ઔરંગઝેબ અને તેની સલ્તનત શું દુશ્મનાવટ હોય શકે?

"ઔરંગઝેબ તલવારના આધારે ધર્મ બદલવા માંગતો હતો"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવાલ કર્યો હતો કે, આખરે બે માસૂમ બાળકોને જીવતા ભીંતમાં ચણાવી દેવા જેવી હેવાનિયત કેમ કરવામાં આવી? એટલા માટે કારણ કે ઔરંગઝેબ અને તેના લોકો ગુરૂ ગોવિંદ સિંહના સંતાનોનો તલવારના જોરે ધર્મ બદલવા માંગતા હતા, પરંતુ ભારતના એ બહાદુર બાળકો, એ વીર બાળક જે મોતથી સહેજ પણ ના ડર્યા. તેઓ જીવતા દિવાલમાં ચણાઈ ગયા પરંતુ તેમણે આતંકીઓના બદઈરાદાઓને હંમેશા હંમેશઅ માટે દફનાવી દીધા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget