શોધખોળ કરો

PM Modi : પીએમ મોદીએ અચાનક ઔરંગઝેબ અને મુઘલોનો કેમ કર્યો ઉલ્લેખ? ગુરૂ ગોવિંદ સિંહને કરી લાખો સલામ

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આજે પ્રથમ 'વીર બાલ દિવસ' ઉજવી રહ્યું છે. હું વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું અને તેમને મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

PM Modi On Mughal: રાજધાની દિલ્હીની મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં 'વીર બાલ દિવસ'ના અવસરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સાહિબજાદોના બલિદાનને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ વીર સાહિબજાદેને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમએ ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતો. પીએમએ પોતાના સંબોધનમાં મુઘલોનો તેમાં પણ ખાસ કરીને ઔરંગઝેબનો ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આજે પ્રથમ 'વીર બાલ દિવસ' ઉજવી રહ્યું છે. હું વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું અને તેમને મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે જાહેર કરવાની તક મળી તે બદલ હું તેને અમારી સરકારનું સદ્ભાગ્ય માનું છું. 

મુઘલ સલ્તનતનો ઉલ્લેખ

મુઘલોનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું હતું કે, દરેક ક્રૂર ચહેરાની સામે મહાનાયકો અને નાયિકાઓના પણ એકથી એક મહાન ચરિત્રો હતાં, પરંતુ એ પણ સત્ય છે કે ચમકૌર અને સરહિંદના યુદ્ધમાં જે થયું તે 'ના ભૂતો ના ભવિષ્યતિ' હતું. એક તરફ ધાર્મિક કટ્ટરતામાં અંધ એવી આટલી વિશાળ મુઘલ સલ્તનત, બીજી બાજુ જ્ઞાન અને તપસ્યામાં તલ્લીન આપણા ગુરુઓ, ભારતના પ્રાચીન માનવીય મૂલ્યોને જીવવાની પરંપરા. ચમકૌર અને સરહિંદનું યુદ્ધ ખરેખર અવિસ્મરણીય છે. તે 3 સદીઓ પહેલા લડાઈ હતી પરંતુ ભૂતકાળ એટલો યે જુનો નથી કે તેને ભૂલી શકાય. આ તમામના બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.

વીર સાહિબજાદે કોઈ ધમકીથી ડર્યા નહોતા

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, એક તરફ આતંકની પરાકાષ્ઠા હતી તો બીજી તરફ આધ્યાત્મિકતાનું શીર્ષ. એક તરફ ધાર્મિક ઉન્માદ હતો તો બીજી તરફ સૌમાં ભગવાનને જોવાની ઉદારતા. એક બાજુ લાખોની ફોજ હતી અને બીજી બાજુ ગુરુના બહાદુર સાહિબજાદે જે એકલા હોવા છતાંયે નિર્ભય બની ઉભા હતા. બહાદુર સાહિબજાદે કોઈની ધમકીથી ડર્યા નહોતા, કોઈની આગળ ઝૂક્યા પણ નહોતા.

ગુરુ ગોવિંદ સિંહજી પહાડ બની ઉભા હતાં

ઔરંગઝેબનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે, તે યુગની કલ્પના કરો. ઔરંગઝેબના આતંક વિરૂદ્ધ ભારતને બદલવાના તેના બદઈરાદાઓ વિરૂદ્ધ ગુરુ ગોવિંદ સિંહજી એક પહાડની માફક ઉભા હતાં.પરંતુ જોરાવર સિંહ સાહેબ અને ફતેહ સિંહ સાહેબ જેવા નાની ઉંમરના બાળકો સાથે ઔરંગઝેબ અને તેની સલ્તનત શું દુશ્મનાવટ હોય શકે?

"ઔરંગઝેબ તલવારના આધારે ધર્મ બદલવા માંગતો હતો"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવાલ કર્યો હતો કે, આખરે બે માસૂમ બાળકોને જીવતા ભીંતમાં ચણાવી દેવા જેવી હેવાનિયત કેમ કરવામાં આવી? એટલા માટે કારણ કે ઔરંગઝેબ અને તેના લોકો ગુરૂ ગોવિંદ સિંહના સંતાનોનો તલવારના જોરે ધર્મ બદલવા માંગતા હતા, પરંતુ ભારતના એ બહાદુર બાળકો, એ વીર બાળક જે મોતથી સહેજ પણ ના ડર્યા. તેઓ જીવતા દિવાલમાં ચણાઈ ગયા પરંતુ તેમણે આતંકીઓના બદઈરાદાઓને હંમેશા હંમેશઅ માટે દફનાવી દીધા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Embed widget