શોધખોળ કરો

PM Modi : પીએમ મોદીએ અચાનક ઔરંગઝેબ અને મુઘલોનો કેમ કર્યો ઉલ્લેખ? ગુરૂ ગોવિંદ સિંહને કરી લાખો સલામ

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આજે પ્રથમ 'વીર બાલ દિવસ' ઉજવી રહ્યું છે. હું વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું અને તેમને મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

PM Modi On Mughal: રાજધાની દિલ્હીની મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં 'વીર બાલ દિવસ'ના અવસરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સાહિબજાદોના બલિદાનને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ વીર સાહિબજાદેને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમએ ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતો. પીએમએ પોતાના સંબોધનમાં મુઘલોનો તેમાં પણ ખાસ કરીને ઔરંગઝેબનો ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આજે પ્રથમ 'વીર બાલ દિવસ' ઉજવી રહ્યું છે. હું વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું અને તેમને મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે જાહેર કરવાની તક મળી તે બદલ હું તેને અમારી સરકારનું સદ્ભાગ્ય માનું છું. 

મુઘલ સલ્તનતનો ઉલ્લેખ

મુઘલોનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું હતું કે, દરેક ક્રૂર ચહેરાની સામે મહાનાયકો અને નાયિકાઓના પણ એકથી એક મહાન ચરિત્રો હતાં, પરંતુ એ પણ સત્ય છે કે ચમકૌર અને સરહિંદના યુદ્ધમાં જે થયું તે 'ના ભૂતો ના ભવિષ્યતિ' હતું. એક તરફ ધાર્મિક કટ્ટરતામાં અંધ એવી આટલી વિશાળ મુઘલ સલ્તનત, બીજી બાજુ જ્ઞાન અને તપસ્યામાં તલ્લીન આપણા ગુરુઓ, ભારતના પ્રાચીન માનવીય મૂલ્યોને જીવવાની પરંપરા. ચમકૌર અને સરહિંદનું યુદ્ધ ખરેખર અવિસ્મરણીય છે. તે 3 સદીઓ પહેલા લડાઈ હતી પરંતુ ભૂતકાળ એટલો યે જુનો નથી કે તેને ભૂલી શકાય. આ તમામના બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.

વીર સાહિબજાદે કોઈ ધમકીથી ડર્યા નહોતા

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, એક તરફ આતંકની પરાકાષ્ઠા હતી તો બીજી તરફ આધ્યાત્મિકતાનું શીર્ષ. એક તરફ ધાર્મિક ઉન્માદ હતો તો બીજી તરફ સૌમાં ભગવાનને જોવાની ઉદારતા. એક બાજુ લાખોની ફોજ હતી અને બીજી બાજુ ગુરુના બહાદુર સાહિબજાદે જે એકલા હોવા છતાંયે નિર્ભય બની ઉભા હતા. બહાદુર સાહિબજાદે કોઈની ધમકીથી ડર્યા નહોતા, કોઈની આગળ ઝૂક્યા પણ નહોતા.

ગુરુ ગોવિંદ સિંહજી પહાડ બની ઉભા હતાં

ઔરંગઝેબનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે, તે યુગની કલ્પના કરો. ઔરંગઝેબના આતંક વિરૂદ્ધ ભારતને બદલવાના તેના બદઈરાદાઓ વિરૂદ્ધ ગુરુ ગોવિંદ સિંહજી એક પહાડની માફક ઉભા હતાં.પરંતુ જોરાવર સિંહ સાહેબ અને ફતેહ સિંહ સાહેબ જેવા નાની ઉંમરના બાળકો સાથે ઔરંગઝેબ અને તેની સલ્તનત શું દુશ્મનાવટ હોય શકે?

"ઔરંગઝેબ તલવારના આધારે ધર્મ બદલવા માંગતો હતો"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવાલ કર્યો હતો કે, આખરે બે માસૂમ બાળકોને જીવતા ભીંતમાં ચણાવી દેવા જેવી હેવાનિયત કેમ કરવામાં આવી? એટલા માટે કારણ કે ઔરંગઝેબ અને તેના લોકો ગુરૂ ગોવિંદ સિંહના સંતાનોનો તલવારના જોરે ધર્મ બદલવા માંગતા હતા, પરંતુ ભારતના એ બહાદુર બાળકો, એ વીર બાળક જે મોતથી સહેજ પણ ના ડર્યા. તેઓ જીવતા દિવાલમાં ચણાઈ ગયા પરંતુ તેમણે આતંકીઓના બદઈરાદાઓને હંમેશા હંમેશઅ માટે દફનાવી દીધા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
BLO duty workload: BLO ની કામગીરી જીવલેણ બની? જામનગરમાં મહિલા શિક્ષિકા ચાલુ ફરજે ઢળી પડ્યા, સીધા ICU માં!
BLO duty workload: BLO ની કામગીરી જીવલેણ બની? જામનગરમાં મહિલા શિક્ષિકા ચાલુ ફરજે ઢળી પડ્યા, સીધા ICU માં!
Gold Investment Tips: સોનાની તેજીનો ફુગ્ગો ફૂટી ગયો? હવે ભાવ વધશે કે ઘટશે? રિપોર્ટમાં થયો મોટો ધડાકો
Gold Investment Tips: સોનાની તેજીનો ફુગ્ગો ફૂટી ગયો? હવે ભાવ વધશે કે ઘટશે? રિપોર્ટમાં થયો મોટો ધડાકો
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
Advertisement

વિડિઓઝ

Dharmendra Passes Away: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
BLO duty workload: BLO ની કામગીરી જીવલેણ બની? જામનગરમાં મહિલા શિક્ષિકા ચાલુ ફરજે ઢળી પડ્યા, સીધા ICU માં!
BLO duty workload: BLO ની કામગીરી જીવલેણ બની? જામનગરમાં મહિલા શિક્ષિકા ચાલુ ફરજે ઢળી પડ્યા, સીધા ICU માં!
Gold Investment Tips: સોનાની તેજીનો ફુગ્ગો ફૂટી ગયો? હવે ભાવ વધશે કે ઘટશે? રિપોર્ટમાં થયો મોટો ધડાકો
Gold Investment Tips: સોનાની તેજીનો ફુગ્ગો ફૂટી ગયો? હવે ભાવ વધશે કે ઘટશે? રિપોર્ટમાં થયો મોટો ધડાકો
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
Embed widget