શોધખોળ કરો

H3N2 Virus: મહારાષ્ટ્રમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના 18 નવા કેસ નોંધાયા, અત્યાર સુધી ચારના મોત

શનિવારે (18 માર્ચ) મુંબઈમાં H3N2 ના 18 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવારે H1N1 વાયરસના કુલ 405 કેસ નોંધાયા છે.

H3N2 And H1N1 Virus Attack In Maharashtra: શનિવારે (18 માર્ચ) મુંબઈમાં H3N2 ના 18 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવારે H1N1 વાયરસના કુલ 405 કેસ નોંધાયા છે. ઈન્ફલ્યુએન્ઝાના 196 દર્દીઓ હાલમાં મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. મહારાષ્ટ્રમાં ઈન્ફલ્યુએન્ઝાથી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.

નોધનીય છે કે 1 માર્ચ 2023 ની વચ્ચે મહારાષ્ટ્રમાં H3N3 વાયરસના 119 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં વાયરલ ફેલાતા જોઈને સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી તાનાજી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બીએમસીએ એ બુધવારે (15 માર્ચ) જણાવ્યું હતું કે ઈન્ફલ્યુએન્ઝાના 32 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ માત્ર 2 દિવસમાં 196 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં આ વાયરસ ઝડપથી વધી રહ્યો છે. H1N1 વાયરસને સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે. H3N2 તેનું સબવેરિયન્ટ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે H3N2 વાયરસ અગાઉના વેરિયન્ટ્સ કરતાં વધુ ખતરનાક છે.

અત્યાર સુધીમાં 4ના મોત

મહારાષ્ટ્રમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. H3N2 વાયરસથી 73 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, દર્દી હૃદય રોગથી પીડિત હતો. આ પહેલા અહમદનગરના એક મેડિકલ સ્ટુડન્ટનું આ વાયરસથી મોત થયું હતું.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે જણાવ્યું કે રાજ્યની હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. વાયરસથી પ્રભાવિત દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.  

Coronavirus: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા, આ જિલ્લામાં નોંધાયા સૌથી વધુ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 84 કેસ નોંધાયા હતા. મહેસાણામાં 21 તો રાજકોટ જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા હતા.

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા હતા. તે સિવાય અમરેલીમાં 9, સાબરકાંઠામાં 8, સુરેન્દ્રનગરમાં 3, ભાવનગર શહેર અને ગ્રામ્યમાં 2-2, આણંદમાં બે, પોરબંદરમાં બે, ભરૂચમાં એક, ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં નવા બે-બે કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 655 પર પહોંચ્યો હતો. રાજ્યમાં કોરોનાના ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેતInternational Drug Smuggling Racket: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહીVikram Thakor News: ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ?Surat Police:  સુરતમાં જોખમી સ્ટંટ કરી પોલીસને પડકાર ફેંકવો પડ્યો ભારે!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
Danish Kaneria: પાકિસ્તાનના પૂર્વ હિન્દુ ક્રિકેટરે શાહિદ આફ્રીદી પર લગાવ્યો ગંભીર આરોપ,ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ
Danish Kaneria: પાકિસ્તાનના પૂર્વ હિન્દુ ક્રિકેટરે શાહિદ આફ્રીદી પર લગાવ્યો ગંભીર આરોપ,ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ
Holi 2025: હોળી પર મહેમાનોને ખવડાવો આ 5 ખાસ મીઠાઈ, રેસીપી પૂછતા રહી જશે ગેસ્ટ
Holi 2025: હોળી પર મહેમાનોને ખવડાવો આ 5 ખાસ મીઠાઈ, રેસીપી પૂછતા રહી જશે ગેસ્ટ
Embed widget