શોધખોળ કરો

H3N2 : કેટલો જીવલેણ છે H3N2? વેક્સીનથી બચી શકે જીવ? કેટલા દિવસનો મહેમાન છે આ વાયરસ?

કર્ણાટકમાં મૃત્યુ પામેલા વ્યક્તિમાં શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો જેવા લક્ષણો હતા. મૃત્યુ બાદ આરોગ્ય વિભાગની ટીમો અલુર અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ટેસ્ટ કરી રહી છે

H3N2 Deaths: વાયરલ તાવ એટલે કે H3N2એ આખા ભારતને ભરડામાં લીધું છે. દેશભરમાં  H3N2ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસ હવે જીવલેણ બની રહ્યો છે. કર્ણાટક અને હરિયાણામાં પણ 1-1 મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 90 થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા 3 હજારને વટાવી ગઈ છે. H3N2 વાયરસના કારણે થયેલા મોત બાદ હવે સવાલો ઉઠવા લાગ્યા છે કે શું વાયરલ ફીવર પણ જીવલેણ સાબિત થઈ શકે છે? 

કર્ણાટકના બેંગલુરુમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 82 વર્ષની હતી. તબીબોનું માનવું છે કે, જે લોકો વૃદ્ધ છે, તેઓને કોઈ લાંબાગાળાની બિમારી છે. જેમ કે હૃદયના દર્દીઓ, કિડનીની બિમારી, અનિયંત્રિત ડાયાબિટીસ અથવા અન્ય કોઈપણ પ્રકારની બીમારી જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય. આવા લોકોને H3N2થી ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે તેથી સાવચેત રહેવાની જરૂર છે. 

આ લક્ષણો મૃતકમાં હતા

કર્ણાટકમાં મૃત્યુ પામેલા વ્યક્તિમાં શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો જેવા લક્ષણો હતા. મૃત્યુ બાદ આરોગ્ય વિભાગની ટીમો અલુર અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ટેસ્ટ કરી રહી છે. લક્ષણો ધરાવતા લોકો પાસેથી સ્વેબ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. વિભાગે ઘણા રોગોથી પીડિત લોકો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પર નજર રાખવાની સૂચનાઓ આપી છે. લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે કે લક્ષણો જોતા જ જાતે દવા ન લો.

સૂત્રોએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં H3N2ના 50 થી વધુ કેસ નોંધાયા છે અને એકલા હાસન જિલ્લામાં છ કેસની પુષ્ટિ થઈ છે. રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે અને આ અંગે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આરોગ્ય પ્રધાન ડૉ. કે. સુધાકરે જણાવ્યું હતું કે, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને H3N2 પ્રકારનું જોખમ વધારે છે. તે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ચેપ લગાડે છે. સુધાકરે સલાહ આપી કે સગર્ભા સ્ત્રીઓએ પણ સાવચેત રહેવું જોઈએ.

શું રસી આપશે રક્ષણ

કોરોના રસી અમુક અંશે H1N1થી રક્ષણ આપે છે પરંતુ H3N2 માટે ફ્લૂની રસી લગાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

20 દિવસમાં કેસ ઘટી શકે છે

જો કે ડોકટરોનું માનવું છે કે, આ વાયરસનો પ્રકોપ 15 થી 20 દિવસમાં ઓછો થઈ શકે છે. જ્યારે હવામાનમાં અચાનક બદલાવ બંધ થઈ જશે.

નિવારણની પદ્ધતિઓ શું છે?

નિષ્ણાતોનું કહેવું છે કે, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ H3N2ને ઘણી હદ સુધી રોકી શકે છે. આ રોગનો ટેસ્ટ પણ કોરોના ટેસ્ટની જેમ જ કરવામાં આવે છે. નાક અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
Embed widget