શોધખોળ કરો

ગળામાં ઇન્ફેકશન છે? તો કેવી રીતે કરશો કોગળા, તો થશે ફાયદો, દિવસમાં કેટલી વખત કરવા જોઇએ, જાણો

કોરોના વાયરસ સંક્રમણમાં લગભગ બધા લોકોને ગળામાં ખરાશની ફરિયાદ કરે છે. આ સમસ્યામાં ડોક્ટર સ્ટીમની સાથે કોગળા કરવાની પણ સલાહ આપે છે. ગળુ ખરાબ હોય ત્યારે કોગળાથી રાહત મળે છે પરંતુ કેટલો સમય અને કેવી રીતે કરવા જોઇએ તે સમજવું જરૂરી છે,. જેથી ફાયદો થાય.

Health Tips:કોરોના વાયરસ સંક્રમણમાં લગભગ બધા લોકોને ગળામાં ખરાશની ફરિયાદ કરે છે. આ સમસ્યામાં ડોક્ટર સ્ટીમની સાથે કોગળા કરવાની પણ સલાહ આપે છે. ગળુ ખરાબ હોય ત્યારે કોગળાથી રાહત મળે છે પરંતુ કેટલો સમય અને કેવી રીતે કરવા જોઇએ તે સમજવું જરૂરી છે,. જેથી ફાયદો થાય.  

કોગળા કરતી વખતે પાણીને મોંમાં 10 સેકન્ડથી વધુ ન રાખો, જો કે એ યાદ રાખવું જરૂરી છે. કોગળા કરવા તે કોરોના વાયરસનો ઇલાજ નથી જો કે તેનાથી ઓરલ હાઇજીન બનાવી રહેશે. . 

 કોગળા કરવાનાં ફાયદા
કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે લોકો શું-શું નથી કરતા. લોકો આ માટે સ્ટીમ, કોગળા, ઉકાળા સહિતના ઉપચાર કરી રહ્યાં છે. લોકોનું માનવું છે કે, કોગળા કરવાથી ગળું ખરાબ નથી થતું અને કોરોનાથી બચી શકાય છે. આમાં કેટલું સત્ય છે.. જાણીએ... 

ડોક્ટર્સનું કહેવું છે કે, કોગળાથી ગળું સાફ થઇ જાય છે. જો ગળું ખરાબ હોય તો દર્દ અથવા સૂજનથી પણ કોગળાથી રાહત મળે છે. એકસ્પર્ટના મત મુજબ કોગળા ગળાને રાહત આપે છે. ખાસ કરીને સોજો, ખરાશ અને શરદીમાં ફાયદાકારક છે. જો કે કોગળા કોરોના વાયરસથી બચાવતા નથી. 

દિવસમાં કેટલી વખત કોગળા કરવા જોઇએ


જો આપના ગળાામાં ઇન્ફેકશન હોય તો આપને ડોક્ટર દિવસમાં ત્રણ વખત કોગળા કરવાની સલાહ આપે છે. જો કે આપને કોઇ તકલીફ ન હોય અને માત્ર સાવધાની માટે કરતા હો તો સવાર સાંજ કરવા પૂરતા છે. દરરોજ બપોરે લંચ બાદ અને અને રાતે સૂતા પહેલા હુફાળ ગરમ પાણીથી દિવસમાં બે વખત કોગળા કરી શકાય 

કેવી રીતે કરશો કોગળા?

જો આપને કોઇ તકલીફ ન હોય તો હુંફાળા ગરમ પાણીમાં નમક નાંખીને કોગળા કરી શકાય. દિવસમાં 2થી ત્રણ વખત કોગળા કરવા જોઇએ

બીટાડીન ગાર્ગર: જો આપનું ગળું ખરાબ હોય, ગળામાં સોજો હોય કે ઇન્ફેકશન હોય તો હૂંફાળા પાણીમાં બિટાડીન ગાર્ગલ નાખીને કોગળા કરી શકો છો. બીટાડિન એન્ટીબેક્ટરિયલ દવા છે. તેનાથી ઇન્ફેકશન દૂર થાય છે. 

કોગળાથી શું નુકસાન થયા છે?

કોગળા કરવાથી ગળું સાફ થાય છે અને તેના ફાયદા છે પરંતુ જરૂર કરતા વધુ કોગળા નુકસાનકારક સાબિત થાય છે. 

સામાન્ય રીતે લોકો ગરમ નમકના પાણીમાં કોગળા કરે છે, જો આપ હાઇબ્લડ પ્રેશરના દર્દી હોતો નમકનો ઉપયોગ ન કરો. કારણે કે બીપીના દર્દીનું શરીર નમકને શોષી લે છે અને તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે. 

કેટલાક લોકો દિવસમાં અનેક વખત કોગળા કરી રહ્યાં છે. જેના કારણે ગળામાં સોજો આવી જાય છે.. જો આપને ઇન્ફેકશન ન હોય તો દિવસમાં માત્ર બે વખત કોગળા કરવા પૂરતા છે. 

કોગળા કરવા માટે વધુ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો તેનાથી ગળાના અંદરના ભાગને નુકસાન થાય છે., છાલા પડી શકે છે. હંમેશા હુફાળા પાણીથી જ કોગળા કરવા જોઇએ.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Maha shivratri: આજથી ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ, પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સંતોનું આહવાન
Maha shivratri: આજથી ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ, પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સંતોનું આહવાન
Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાયHun To Bolish : હું તો બોલીશ : દાનવRajkot Hospital Viral CCTV Video: મહિલાઓની તપાસના સીસીટીવી વાયરલ કરનાર 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પરGujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Maha shivratri: આજથી ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ, પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સંતોનું આહવાન
Maha shivratri: આજથી ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ, પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સંતોનું આહવાન
Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા
Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
IND vs PAK Match Weather: શું ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે વિલન? જાણો દુબઈમાં કેવું રહેશે હવામાન
IND vs PAK Match Weather: શું ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે વિલન? જાણો દુબઈમાં કેવું રહેશે હવામાન
મુંબઈએ રોક્યો RCBનો વિજયરથ , કેપ્ટન હરમનપ્રીતની વિસ્ફોટક ઈનિંગ; MI એ 4 વિકિટે જીતી મેચ
મુંબઈએ રોક્યો RCBનો વિજયરથ , કેપ્ટન હરમનપ્રીતની વિસ્ફોટક ઈનિંગ; MI એ 4 વિકિટે જીતી મેચ
Embed widget