શોધખોળ કરો

હિમાચલ પ્રદેશમાં ત્રીજા ધોરણથી જ ભણાવવામાં આવશે સંસ્કૃત, હિન્દીના પાઠ્યપુસ્તકમાં જોડાશે 2 ચેપ્ટર

હિમાચલ પ્રદેશમાં ત્રીજા ધોરણથી સંસ્કૃત ભાષાને સિલેબસમાં સામેલ કરવામાં આવી છે. તેના માટે હિન્દીના પાઠ્યપુસ્તકમાં જ સંસ્કૃતના બે ચેપ્ટર ઉમેરવામાં આવશે. તેની શરૂઆત નવા એકેડેમિક ઇયરથી થશે.


હિમાચલ પ્રદેશમાં ત્રીજા ધોરણથી સંસ્કૃત ભાષાને સિલેબસમાં સામેલ કરવામાં આવી છે. તેના માટે  હિન્દીના પાઠ્યપુસ્તકમાં જ સંસ્કૃતના બે ચેપ્ટર ઉમેરવામાં આવશે. તેની શરૂઆત નવા એકેડેમિક ઇયરથી થશે. 

હિમાચલ રાજ્યના સરકારી સ્કૂલોમાં નવા એકેડેમિક ઇયરમાં ત્રીજા ધોરણથી જ સંસ્કૃત ભાષાને અનિવાર્ય કરાઇ છે. એટલે કે ત્રીજા ધોરણથી હવે રાજ્યોમાં બાળકોને સંસ્કૃત ભાષા ભણાવવામાં આવશે. આ બદલાવ નવી શિક્ષણ નિતી હેઠળ કરાયો છે. મંગળવારે શિક્ષા મંત્રીની અઘ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ  મુદ્દ નિર્ણય લેવાયો હતો. 


હિન્દીના પાઠ્ય પુસ્તકમાં જ જોડવામાં આવશે સંસ્કૃતના બે ચેપ્ટર
બેઠકમાં નિર્ણય લેવાયો કે હાલ હિન્દીના હિન્દીના પાઠ્ય પુસ્તકમાં જ સંસ્કૃતના બે ચેપ્ટર જોડવામાં આવશે.આ હેતુની પૂર્તિ માટે  શિક્ષણ વિભાગ સંસ્કૃતના બે નવા ચેપ્ટર તૈયાર કરીને શિક્ષણ બોર્ડને મોકલશે. એકેડેમિક  ઇયર 2021-22થી સ્કૂલ શિક્ષા બોર્ડ દ્વારા તેને હિન્દીના પુસ્તકમાં સામેલ કરાશે.


ચોથા અને પાંચમા ધોરણમાં સંસ્કૃતનો પાઠમાં વધારો થશે
ઉલ્લેખનિય છે કે, નાના બાળકો પર નવા વિષયનો વધુ બોજ ન પડે આ કારણે હાલ માત્ર સંસ્કૃતના 2 પાઠ જ ભણાવવામાં આવશે. જો કે ચોથા અને પાંચમા ધોરણમાં આ પાઠની સંખ્યા વધારવામાં આવશે, શિક્ષા વિભાગના અધિકારીઓ મુજબ આ રીતે થોડા-થોડા અધ્યાય આપવાથી છઠ્ઠા ધોરણમાં નવો વિષય આવતા વિદ્યાર્થીઓને બોજારૂપ નહીં લાગે. એટલા માટે ત્રીજા ધોરણથી સંસ્કૃત ભાષાની શબ્દાવલી શરૂ કરી દેવાનો નિર્ણય કરાયો છે. જેબીટીના અધ્યાપકો સંસ્કૃતના ક્લાસ લેશે, જેના માટે તેમને રીતસરની તાલીમ અપાશે. 


આ સાથે શિક્ષા સચિવ રાજીવ શર્માએ રાજ્ય સંસ્કૃત એકેડમીથી પણ ત્રીજાથી પાંચમાં ઘોરણના વિદ્યાર્થીઓ માટે ભણાવવામાં આવતો સંસ્કૃતના પાઠ માટે સાહિત્ય સામગ્રી આપવાનું કહ્યું છે. શિક્ષણ સચિવ અનુસાર નવા શૈક્ષણિક સત્રથી તેનો શુભારંભ થશે, બાળકો પર અચાનક જ નવા વિષયનો બોજ ન આવે તે માટે ત્રીજા ધોરણમાં 2, ચોથા અને પાંચમા ધોરણા મર્યાદિત સંખ્યામાં ચેપ્ટર અપાશે ત્યારબાદ છઠ્ઠા ધોરણથી સંપૂર્ણ સંસ્કૃતના વિષયનો સમાવેશ થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget