શોધખોળ કરો

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

એમ મોદીને મળવા પર શંકરાચાર્યએ કહ્યું, "હા, તેઓ મારી પાસે આવ્યા હતા. તેમણે મને નમસ્કાર કર્યા. અમારો નિયમ છે કે જે અમારી પાસે આવે છે તેને અમે આશીર્વાદ આપીએ છીએ. અમે તેમના શુભચિંતક છીએ."

Hindu not betray Shankaracharya statement: જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સોમવારે મુંબઈમાં માતોશ્રી પહોંચ્યા અને શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેને મળ્યા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને તેમની પત્ની રશ્મિ ઠાકરેએ તેમના ઘરે પૂજા કરી અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આશીર્વાદ લીધા.

આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, "અમે હિંદુ ધર્મનું પાલન કરીએ છીએ. અમે પુણ્ય અને પાપમાં માનીએ છીએ. વિશ્વાસઘાત એ સૌથી મોટા પાપમાંનું એક માનવામાં આવે છે, ઉદ્ધવ ઠાકરે સાથે પણ એવું જ થયું છે. તેમણે મને બોલાવીને અમારું સ્વાગત કર્યું. અમે કહ્યું કે અમે તેમના વિશ્વાસઘાતથી દુઃખી છીએ અને જ્યાં સુધી તેઓ ફરીથી મુખ્ય પ્રધાન નહીં બને ત્યાં સુધી અમારું દુઃખ દૂર થશે નહીં.

જ્યોતિષ પીઠના શંકરાચાર્યએ કહ્યું હતું કે, "જે દગો કરે છે તે હિંદુ ન હોઈ શકે, જે દગો સહન કરે છે તે હિંદુ છે." તેમણે કહ્યું, "મહારાષ્ટ્રના સમગ્ર લોકો વિશ્વાસઘાત પર ગુસ્સે છે અને તે તાજેતરની (લોકસભા) ચૂંટણીમાં પણ પ્રતિબિંબિત થયું હતું."

તેમણે એમ પણ કહ્યું કે, અમારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ અમે વિશ્વાસઘાતની વાત કરી રહ્યા છીએ જે ધર્મ અનુસાર પાપ છે.

અનંત અંબાણીના લગ્નમાં પીએમ મોદીને મળવા પર શંકરાચાર્યએ કહ્યું, "હા, તેઓ મારી પાસે આવ્યા હતા. તેમણે મને પ્રણામ કર્યા હતા, અમારો નિયમ છે કે જે અમારી પાસે આવે છે તેને અમે આશીર્વાદ આપીએ છીએ. તે અમારા દુશ્મન નથી. અમે તેમના શુભચિંતક છીએ. અમે હંમેશા તેમના કલ્યાણની વાત કરીએ છીએ અને જ્યારે તેઓ કોઈ ભૂલ કરે છે, ત્યારે અમે તેમને પણ કહીએ છીએ."

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ 10 જુલાઈએ દિલ્હીના બુરારીમાં 'શ્રી કેદારનાથ ધામ'ના નામથી મંદિરનો શિલાન્યાસ કરવાના પ્રશ્ન પર શંકરાચાર્યએ કહ્યું, "જ્યારે કેદારનાથનું સરનામું હિમાલય છે, તો પછી દિલ્હીમાં કેવી રીતે થઈ શકે? બાર જ્યોતિર્લિંગનું સ્થાન નક્કી કરવામાં આવ્યું છે. શા માટે તમે જનતાને ભ્રમિત કરવા માંગો છો? ભગવાનના હજારો નામ છે, કોઈપણ નામથી સ્થાપના કરો અને પૂજા કરો, પરંતુ કેદારનાથ ધામ દિલ્હીમાં બનશે, આવું થવા દેવામાં નહીં આવે. કેદારનાથમાં 228 કિલો સોનું ગાયબ, કોઈને તેની ચિંતા નથી. આની તપાસ કેમ નથી થતી?"

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મુંબઈ પહોંચ્યા હતા. ત્યાં તેમણે યુગલને આશીર્વાદ પણ આપ્યા હતા.

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bharat Bandh: SC-ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ, આ પક્ષોએ આપ્યું છે સમર્થન
Bharat Bandh: SC-ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ, આ પક્ષોએ આપ્યું છે સમર્થન
Kolkata Rape Case: કોલકત્તામાં BJP નું 5 દિવસનું પ્રદર્શન, દુષ્કર્મ કેસના વિરોધમાં રસ્તાં પર ઉતરશે સૌરવ ગાંગુલી, વાંચો લેટેસ્ટ અપડેટ
Kolkata Rape Case: કોલકત્તામાં BJP નું 5 દિવસનું પ્રદર્શન, દુષ્કર્મ કેસના વિરોધમાં રસ્તાં પર ઉતરશે સૌરવ ગાંગુલી, વાંચો લેટેસ્ટ અપડેટ
Gold Prices: સોનાએ લગાવી મોટી છલાંગ, એક દિવસમાં તોડ્યો મહિનાનો રેકોર્ડ
Gold Prices: સોનાએ લગાવી મોટી છલાંગ, એક દિવસમાં તોડ્યો મહિનાનો રેકોર્ડ
TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ પર કસાયો શિકંજો, મેસેજિંગ સેવાઓના દુરુપયોગ પર થશે કાર્યવાહી
TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ પર કસાયો શિકંજો, મેસેજિંગ સેવાઓના દુરુપયોગ પર થશે કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Abp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી મનોરંજન ક્ષેત્રે હિતેન કુમારને સન્માનિત કરાયાAbp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી ખેલ-કૂદ ક્ષેત્રે વરજાંગ વાળાને સન્માનિત કરાયાAbp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી સંગીત ક્ષેત્રે પદ્મશ્રી હેમંત ચૌહાણને સન્માનિત કરાયાAbp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી લોકસાહિત્ય ક્ષેત્રે કિર્તીદાન ગઢવીને સન્માનિત કરાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharat Bandh: SC-ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ, આ પક્ષોએ આપ્યું છે સમર્થન
Bharat Bandh: SC-ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ, આ પક્ષોએ આપ્યું છે સમર્થન
Kolkata Rape Case: કોલકત્તામાં BJP નું 5 દિવસનું પ્રદર્શન, દુષ્કર્મ કેસના વિરોધમાં રસ્તાં પર ઉતરશે સૌરવ ગાંગુલી, વાંચો લેટેસ્ટ અપડેટ
Kolkata Rape Case: કોલકત્તામાં BJP નું 5 દિવસનું પ્રદર્શન, દુષ્કર્મ કેસના વિરોધમાં રસ્તાં પર ઉતરશે સૌરવ ગાંગુલી, વાંચો લેટેસ્ટ અપડેટ
Gold Prices: સોનાએ લગાવી મોટી છલાંગ, એક દિવસમાં તોડ્યો મહિનાનો રેકોર્ડ
Gold Prices: સોનાએ લગાવી મોટી છલાંગ, એક દિવસમાં તોડ્યો મહિનાનો રેકોર્ડ
TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ પર કસાયો શિકંજો, મેસેજિંગ સેવાઓના દુરુપયોગ પર થશે કાર્યવાહી
TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ પર કસાયો શિકંજો, મેસેજિંગ સેવાઓના દુરુપયોગ પર થશે કાર્યવાહી
Monkeypox: મંકીપૉક્સથી ડરવાની કેટલી જરૂર, શું આ બીમારીથી થઇ શકે છે મોત?
Monkeypox: મંકીપૉક્સથી ડરવાની કેટલી જરૂર, શું આ બીમારીથી થઇ શકે છે મોત?
Side Effects of Coffee: વધુ કોફી પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, એક દિવસમાં કેટલા કપ પીવી જોઇએ?
Side Effects of Coffee: વધુ કોફી પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, એક દિવસમાં કેટલા કપ પીવી જોઇએ?
Gujarat Rain: મન મૂકીને વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: મન મૂકીને વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
45 વર્ષ બાદ આ દેશની મુલાકાત કરશે ભારતના વડાપ્રધાન, PM મોદીનો પ્રથમ પ્રવાસ
45 વર્ષ બાદ આ દેશની મુલાકાત કરશે ભારતના વડાપ્રધાન, PM મોદીનો પ્રથમ પ્રવાસ
Embed widget