શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારતના આ રાજ્યોમાં આજે ત્રાટકશે ‘નિવાર’ વાવાઝોડુ, 100-110 કિલોમીટરની ઝડપે ફુંકાશે પવન
ત્રણેય રાજ્યના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાનું કામ શરુ કરી દેવાયું છે.
![ભારતના આ રાજ્યોમાં આજે ત્રાટકશે ‘નિવાર’ વાવાઝોડુ, 100-110 કિલોમીટરની ઝડપે ફુંકાશે પવન Hurricane 'Nivar' will hit this state of India today, wind will blow at a speed of 100-110 kmph. ભારતના આ રાજ્યોમાં આજે ત્રાટકશે ‘નિવાર’ વાવાઝોડુ, 100-110 કિલોમીટરની ઝડપે ફુંકાશે પવન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/25131646/rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી અને ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં આજે સાંજે ‘નિવાર’ નામનું વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેનાથી કિનારાના વિસ્તારોમાં 100થી 110 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 14 મીટર જેટલા ઊંચા મોજા ઉછળવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ત્રણેય રાજ્યના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાનું કામ શરુ કરી દેવાયું છે. PM મોદીએ ત્રણેય રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને શક્ય એટલી મદદની ખાતરી આપી છે.
સુરક્ષાના ભાગરુપે વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પરિસ્થિતિને જોતા વિશાખાપટનમમાં ત્રણ ડોનિયર વિમાન તૈનાત રખાયા છે. દક્ષિણ રેલવેની 12 ટ્રેનો રદ્દ કરી કરી દેવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તોફાન વચ્ચે પણ સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા 30 બોટના માછીમારો લાપતા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)