શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાહુલ ગાંધીને લાગ્યો ઝટકો, યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી ફગાવાઇ
રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી દાખલ કરી હતી
![રાહુલ ગાંધીને લાગ્યો ઝટકો, યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી ફગાવાઇ Income Tax Tribunal rejects plea by Gandhis in National Herald tax evasion case રાહુલ ગાંધીને લાગ્યો ઝટકો, યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી ફગાવાઇ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/15223812/5.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આયકર ટ્રિબ્યૂનલે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝટકો લાગ્યો છે. ટ્રિબ્યૂનલે રાહુલ ગાંધીની યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજીને ફગાવી દીધી છે. રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી દાખલ કરી હતી. ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે, આ એક કોમર્શિયલ સંગઠન છે. જેનો અર્થ એ છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો ઇન્કમટેક્સ કેસ ફરીથી ખુલશે.
ટ્રિબ્યૂનલે કહ્યું કે, ટ્રસ્ટ તરફથી એવું કોઇ કામ કરવામાં આવ્યુ નથી જે આ ચેરિટેબલ કેટેગરીમાં આવે છે કારણ કે એજેએલને હસ્તગત કરવાનો હેતું પૂરો થઇ શક્યો નથી. એજેએલને વરિષ્ઠ કોગ્રેસ નેતા નિયંત્રિત કરે છે જેમાં ગાંધી પરિવાર સામેલ છે. આ જૂથ નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર ચલાવે છે.
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ઇડીએ એજેએલ, વરિષ્ઠ કોગ્રેસ નેતા મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા વિરુદ્ધ મની લોન્ડ્રરિંગ મામલાની તપાસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. પીએમએલએ હેઠળ તપાસમાં જાણવા મળ્યું છે કે હરિયાણાના પંચકૂલામાં એક પ્લોટની એજેએલને વર્ષ 1982માં ફાળવણી કરી હતી પરંતુ તેને એસ્ટેટ અધિકારી એચયૂડીએને 30 ઓક્ટોબર 1992ને પાછી લઇ લીધો હતો. કારણ કે એજેએલને ફાળવણીની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી. ઇડીએ સીબીઆઇની એફઆઇઆરના આધાર પર 2016માં પીએમએલએ ફરિયાદ દાખલ કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)