શોધખોળ કરો

Indian Museum's: ભારતને નજીકથી સમજવા આ મ્યુઝિયમ્સની અચૂક મુલાકાત લો, જાણો ભારતના સૌથી મોટા મ્યુઝિયમ

જો તમે ભારતને સારી રીતે જાણવા માંગતા હો, તો તમે મ્યુઝિયમની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. ભારતમાં આવા અનેક સંગ્રહાલયો છે, જે ભારતના ગૌરવશાળી ઈતિહાસને આવરી લે છે.

Independence Day 2022: દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) ઉજવવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટ 2022ના રોજ ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આ દરમિયાન જો તમે ભારતને સારી રીતે જાણવા માંગતા હો, તો તમે મ્યુઝિયમની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. ભારતમાં આવા અનેક સંગ્રહાલયો છે, જે ભારતના ગૌરવશાળી ઈતિહાસને આવરી લે છે અને તે ભારતને નજીકથી જાણવા-સમજવાનું કેન્દ્ર છે. તેથી, સ્વતંત્રતાની ઉજવણીને વિશિષ્ટ રીતે ઉજવવા માટે, તમે તમારા બાળકો, પરિવાર અથવા મિત્રો સાથે આ સંગ્રહાલયોની મુલાકાત લઈ શકો છો.
 
નેશનલ મ્યુઝિયમઃ

ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ દિલ્હીમાં જનપથ અને મૌલાના આઝાદ રોડ નજીક નેશનલ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં 2 લાખ કલાકૃતિઓ છે. અહીં મૌર્ય, શુંગ, સાતવાહન, ગુપ્ત અને મધ્યકાલીન સમયનો ઇતિહાસ સરળતાથી જાણી શકાય છે. આ મ્યુઝિયમમાં ભારતના વિવિધ ભાગોના લોકોની ધાર્મિક વિધિઓ અને દૈનિક જીવન જોવા મળશે.
 
પ્રધાનમંત્રી સંગ્રહાલયઃ

પ્રધાનમંત્રી સંગ્રહાલય (Pradhanmantri Sangrahalaya) દેશના સૌથી આધુનિક સંગ્રહાલયોમાંનું એક છે. નવી દિલ્હીના તીન મૂર્તિ સંકુલમાં સ્થિત આ મ્યુઝિયમ એટલે કે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન એપ્રિલ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતની સિદ્ધિઓની ગાથા આ મ્યુઝિયમમાં જોવા મળશે. આઝાદી પછીના તમામ પ્રધાનમંત્રીઓની માહિતી મ્યુઝિયમમાં આપવામાં આવી છે. મ્યુઝિયમમાં એક ટાઈમ મશીન છે જે તમને જૂના ભારતનો પરિચય કરાવે છે.

રેલ મ્યુઝિયમઃ

રેલ મ્યુઝિયમ દિલ્હીમાં આવેલું છે. આ મ્યુઝિયમ 10 એકરમાં ફેલાયેલું છે. અહીં ભારતીય રેલવેનો પ્રાચીન વારસો જોવા મળે છે. તે 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ બાંધવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય ભારતના રેલવે વારસાને જાળવી રાખવાનો છે. ભારતીય રેલવેના ફર્નિચર સહિત 100 થી વધુ વસ્તુઓ અહીં જોવા મળે છે. આ મ્યુઝિયમમાં તમે ટ્રેનની મુસાફરીનો આનંદ પણ લઈ શકો છો.
 
ઈન્ડિયન મ્યુઝિયમઃ

કોલકાતાની જવાહરલાલ સ્ટ્રીટ પર આવેલું આ ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ 6 વિભાગમાં બનાવવામાં આવ્યું છે. તેમાં પુરાતત્વ, માનવશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ઉદ્યોગ અને કલા છે. નૃવંશશાસ્ત્રમાં મોહેંજોદડો અને હડપ્પન સમયગાળાનો ઇતિહાસ છે. ચાર હજાર વર્ષ જૂની ઈજિપ્તની મમી પણ અહીં રાખવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રમાં ખનિજો, અવશેષો અને ખડકો દર્શાવવામાં આવ્યા છે. પ્રાણીશાસ્ત્રમાં માછલી, સરિસૃપ અને મેમથના હાડપિંજર જોવા મળે છે. સાથે સાથે કુટીર ઉદ્યોગ, દવા, વન પેદાશો અને ખેત પેદાશોની માહિતી ઉદ્યોગોમાં ઉપલબ્ધ છે.
 
શંકર ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમઃ

આ સ્વતંત્રતા દિવસે તમે દિલ્હીમાં શંકરના ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. અહીં તમને વિશ્વના વિવિધ દેશોની ડોલ્સ એટલે કે ઢીંગલા-ઢીંગલીઓનું કલેક્શન જોવા મળશે. હાલમાં આ મ્યુઝિયમમાં 85 દેશોની 6,500 ઢીંગલીઓ હાજર છે. આ મ્યુઝિયમની સ્થાપના વર્ષ 1965માં પ્રખ્યાત કૉર્ટૂનિસ્ટ કે, શંકર પિલ્લઈ દ્વારા કરવામાં આવી હતી. મ્યુઝિયમના એક ભાગમાં ઈંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કોમનવેલ્થ દેશોની ઢીંગલીઓ છે જ્યારે બીજા ભાગમાં આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયાઈ દેશોની ઢીંગલીઓ છે. તમે તમારા બાળકોને અહીં લાવી શકો છો. તેમને આનંદ સાથે ઘણું શીખવા મળશે.
 
ખાદી સંગ્રહાલયઃ

દિલ્હીના કનોટ પ્લેસમાં સ્થિત ખાદી મ્યુઝિયમ ભારતના હેરિટેજ મ્યુઝિયમોમાંનું એક છે. જે લોકો ઈતિહાસને નજીકથી જુએ છે અને સમજે છે તેમના માટે અને બાળકો માટે આ મ્યુઝિયમ ઘણું સારું છે. આ મ્યુઝિયમ મુખ્યત્વે ચરખા વિશે છે. આ મ્યુઝિયમમાં તમને ખાદીમાંથી બનેલી હેન્ડલૂમ વસ્તુઓ પણ જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget