શોધખોળ કરો

Independence Day 2023: લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત, કહ્યુ- 'આગામી 15 ઓગસ્ટના રોજ હું ફરીથી આવીશ'

Independence Day 2023 Celebrations: આખો દેશ સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાઈ ગયો છે

LIVE

Key Events
Independence Day 2023: લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત, કહ્યુ- 'આગામી 15 ઓગસ્ટના રોજ હું ફરીથી આવીશ'

Background

Independence Day 2023 Celebrations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના 77મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીનું આ સતત 10મું સંબોધન હશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા યોજાનાર આ સંબોધન ઘણી રીતે ખાસ બની શકે છે. માનવામાં આવે છે કે આ દરમિયાન પીએમ મોદી પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાથી લઈને ઘણી મોટી યોજનાઓની જાહેરાત કરી શકે છે. આખો દેશ મંગળવારે પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

આપણે 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી.  ફરી એકવાર  શહીદોને યાદ કરવાનો પવિત્ર તહેવાર આવ્યો છે.

આખો દેશ સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાઈ ગયો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાનારી 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યાં મંગળવારે (15 ઓગસ્ટ) PM મોદી તિરંગો ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે.

લાલ કિલ્લા પર કરાશે સ્વતંત્રતા દિવસની ઉજવણી

સવારે 6.55 - સંરક્ષણ સચિવ આવશે

સવારે 6.56 થી 7 - સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ આવશે

સવારે 7.06 વાગ્યે - PM રાજઘાટ પહોંચશે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે

સવારે 7.08 કલાકે - સંરક્ષણ રાજ્ય મંત્રી આવશે

સવારે 7.11 - રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવશે

સવારે 7.18 વાગ્યે - PMનું લાલ કિલ્લા પર આગમન અને પછી PM ને ​​ટ્રાઇ-સર્વિસ ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશે

સવારે 7.30 - PM ધ્વજ ફરકાવશે, ગાર્ડ્સ નેશનલ સેલ્યૂટ આપશે.  બેન્ડ રાષ્ટ્રગીત વગાડશે, ત્યારબાદ 21 તોપોની સલામી અપાશે.

સવારે 7.33 – PM દેશને સંબોધન કરશે.

PM મોદીનું લાલ કિલ્લા પરથી સતત 10મું સંબોધન

વડાપ્રધાન મોદી સતત 10મી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. આવતા વર્ષની લોકસભા ચૂંટણી પહેલા લાલ કિલ્લા પરથી આ તેમનું છેલ્લું સંબોધન હશે. લાલ કિલ્લા પર પહોંચવા પર પીએમનું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ ગિરધર અરામને દ્વારા સ્વાગત કરવામાં આવશે. પીએમના ગાર્ડ ઓફ ઓનર ટુકડીમાં આર્મી, એરફોર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 25-25 જવાનો અને નૌકાદળના એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.

પીએમ રાષ્ટ્રધ્વજ ફરકાવશે

ગાર્ડ ઓફ ઓનરની કમાન મેજર વિકાસ સાંગવાનના હાથમાં રહેશે. આ પછી પીએમ લાલ કિલ્લા તરફ જશે, જ્યાં તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે. મેજર નિકિતા નાયર અને મેજર જાસ્મીન કૌર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં વડાપ્રધાનને મદદ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ તિરંગાને રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર માર્ક-3 ધ્રુવ સ્થળ પર પુષ્પવર્ષા કરશે. ત્યારબાદ PM મોદી સવારે 7:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.

ખાસ મહેમાનોને આમંત્રિત કરાયા

77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહ માટે દેશભરમાંથી અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા 1800 લોકોને તેમના જીવનસાથીઓ સાથે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

તેમાં સરપંચ, ખેડૂત ઉત્પાદક સંગઠન યોજના સાથે સંકળાયેલા લોકો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના સહભાગીઓ, નવી સંસદ ગૃહ સહિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના બાંધકામ કામદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખાદી કામદારો, સરહદી રસ્તાઓનું નિર્માણ, અમૃત સરોવર, હર ઘર જલ યોજના સાથે સંકળાયેલા લોકો, પ્રાથમિક શાળાના શિક્ષકો, નર્સો અને માછીમારો પણ આ કાર્યક્રમનો ભાગ હશે.

09:15 AM (IST)  •  15 Aug 2023

PM Modi Speech Live: 'હું આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ'

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2014માં મેં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. તમે દેશવાસીઓએ મારા પર વિશ્વાસ કર્યો. મેં તમને આપેલા મારા વચનને વિશ્વાસમાં ફેરવી દીધું. 2019માં પ્રદર્શનના આધારે તમે મને ફરીથી આશીર્વાદ આપ્યા. પરિવર્તને મને બીજી તક આપી. હું તમારા બધા સપના પૂરા કરીશ. 2047નું સપનું સાકાર કરવાની સૌથી મોટી સોનેરી ક્ષણ આવતા પાંચ વર્ષ છે. આગામી 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું તમારી સામે દેશની ઉપલબ્ધિઓ અને વિકાસ રજૂ કરીશ. આગામી 15મી ઓગસ્ટે ફરી આવશે. હું ફક્ત તમારા માટે જ જીવું છું. જો હું પરસેવો પાડુ છું તો તમારા માટે પાડુ છું કારણ કે તમે મારો પરિવાર છો. હું તમારું દુ:ખ જોઈ શકતો નથી.

09:11 AM (IST)  •  15 Aug 2023

PM Modi Speech Live: 'વિકાસ માટે પરિવારવાદથી મુક્તિ જરૂરી છે'

વિપક્ષ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, દેશના વિકાસ માટે પરિવારવાદથી આઝાદી જરૂરી છે. તુષ્ટિકરણની રાજનીતિએ સામાજિક ન્યાયને મારી નાખ્યો. દેશ વિકાસ ઈચ્છે છે. દેશ 2047નું સપનું સાકાર કરવા માંગે છે. અમે કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર સહન કરી શકતા નથી.

09:10 AM (IST)  •  15 Aug 2023

PM Modi Speech Live: 'ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણ... આપણે આ ત્રણેયથી છૂટકારો મેળવવો પડશે'

77માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, હું ભ્રષ્ટાચાર સામે લડતો રહીશ. પરિવારવાદે આપણા દેશને લૂંટી લીધો છે.  ત્રીજી દુષ્ટતા તુષ્ટિકરણની છે. તે આપણા દેશ પર ડાઘ લગાવી દીધો છે. આપણે આ ત્રણેય દુષણો સામે આપણી પૂરી શક્તિથી લડવાનું છે. આપણે આ ત્રણ બુરાઈઓમાંથી મુક્તિ મેળવવાની છે.

09:10 AM (IST)  •  15 Aug 2023

PM Modi Speech Live: '2047માં વિશ્વમાં ભારતનો ધ્વજ વિકસિત ભારતનો તિરંગો હોવો જોઈએ'

પીએમ મોદીએ કહ્યું હતું કે સપના અનેક છે. સંકસ્પ સાથે છે. નીતિઓ સ્પષ્ટ છે. પરંતુ આપણે કેટલાક સત્યો સ્વીકારવા પડશે. આજે હું લાલ કિલ્લા પરથી તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. આજે આપણે કેટલીક બાબતોને ગંભીરતાથી લેવી પડશે. 2047 માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, તે સમયે વિશ્વમાં ભારતનો ધ્વજ વિકસિત ભારતનો તિરંગો હોવો જોઈએ.

09:10 AM (IST)  •  15 Aug 2023

PM Modi Speech Live: 'ગામમાં બે કરોડ બહેનોને કરોડપતિ બનાવવાનું સપનું'

લાલ કિલ્લાની કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું, મારું સપનું છે કે ગામમાં બે કરોડ બહેનો કરોડપતિ બને. એટલા માટે અમે નવી યોજના વિશે વિચારી રહ્યા છીએ. કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી આવશે. અમે તેમને ડ્રોનની સેવા આપવા માટે તાલીમ આપીશું. દેશ દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યો છે. દેશ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget