શોધખોળ કરો

Independence Day 2023: લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત, કહ્યુ- 'આગામી 15 ઓગસ્ટના રોજ હું ફરીથી આવીશ'

Independence Day 2023 Celebrations: આખો દેશ સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાઈ ગયો છે

Key Events
Independence Day 2023 Live Updates: PM Modi to address nation from Red Fort Independence Day 2023: લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત, કહ્યુ- 'આગામી 15 ઓગસ્ટના રોજ હું ફરીથી આવીશ'
વડાપ્રધાન મોદી
Source : PTI

Background

Independence Day 2023 Celebrations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના 77મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીનું આ સતત 10મું સંબોધન હશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા યોજાનાર આ સંબોધન ઘણી રીતે ખાસ બની શકે છે. માનવામાં આવે છે કે આ દરમિયાન પીએમ મોદી પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાથી લઈને ઘણી મોટી યોજનાઓની જાહેરાત કરી શકે છે. આખો દેશ મંગળવારે પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

આપણે 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી.  ફરી એકવાર  શહીદોને યાદ કરવાનો પવિત્ર તહેવાર આવ્યો છે.

આખો દેશ સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાઈ ગયો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાનારી 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યાં મંગળવારે (15 ઓગસ્ટ) PM મોદી તિરંગો ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે.

લાલ કિલ્લા પર કરાશે સ્વતંત્રતા દિવસની ઉજવણી

સવારે 6.55 - સંરક્ષણ સચિવ આવશે

સવારે 6.56 થી 7 - સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ આવશે

સવારે 7.06 વાગ્યે - PM રાજઘાટ પહોંચશે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે

સવારે 7.08 કલાકે - સંરક્ષણ રાજ્ય મંત્રી આવશે

સવારે 7.11 - રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવશે

સવારે 7.18 વાગ્યે - PMનું લાલ કિલ્લા પર આગમન અને પછી PM ને ​​ટ્રાઇ-સર્વિસ ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશે

સવારે 7.30 - PM ધ્વજ ફરકાવશે, ગાર્ડ્સ નેશનલ સેલ્યૂટ આપશે.  બેન્ડ રાષ્ટ્રગીત વગાડશે, ત્યારબાદ 21 તોપોની સલામી અપાશે.

સવારે 7.33 – PM દેશને સંબોધન કરશે.

PM મોદીનું લાલ કિલ્લા પરથી સતત 10મું સંબોધન

વડાપ્રધાન મોદી સતત 10મી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. આવતા વર્ષની લોકસભા ચૂંટણી પહેલા લાલ કિલ્લા પરથી આ તેમનું છેલ્લું સંબોધન હશે. લાલ કિલ્લા પર પહોંચવા પર પીએમનું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ ગિરધર અરામને દ્વારા સ્વાગત કરવામાં આવશે. પીએમના ગાર્ડ ઓફ ઓનર ટુકડીમાં આર્મી, એરફોર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 25-25 જવાનો અને નૌકાદળના એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.

પીએમ રાષ્ટ્રધ્વજ ફરકાવશે

ગાર્ડ ઓફ ઓનરની કમાન મેજર વિકાસ સાંગવાનના હાથમાં રહેશે. આ પછી પીએમ લાલ કિલ્લા તરફ જશે, જ્યાં તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે. મેજર નિકિતા નાયર અને મેજર જાસ્મીન કૌર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં વડાપ્રધાનને મદદ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ તિરંગાને રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર માર્ક-3 ધ્રુવ સ્થળ પર પુષ્પવર્ષા કરશે. ત્યારબાદ PM મોદી સવારે 7:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.

ખાસ મહેમાનોને આમંત્રિત કરાયા

77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહ માટે દેશભરમાંથી અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા 1800 લોકોને તેમના જીવનસાથીઓ સાથે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

તેમાં સરપંચ, ખેડૂત ઉત્પાદક સંગઠન યોજના સાથે સંકળાયેલા લોકો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના સહભાગીઓ, નવી સંસદ ગૃહ સહિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના બાંધકામ કામદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખાદી કામદારો, સરહદી રસ્તાઓનું નિર્માણ, અમૃત સરોવર, હર ઘર જલ યોજના સાથે સંકળાયેલા લોકો, પ્રાથમિક શાળાના શિક્ષકો, નર્સો અને માછીમારો પણ આ કાર્યક્રમનો ભાગ હશે.

09:15 AM (IST)  •  15 Aug 2023

PM Modi Speech Live: 'હું આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ'

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2014માં મેં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. તમે દેશવાસીઓએ મારા પર વિશ્વાસ કર્યો. મેં તમને આપેલા મારા વચનને વિશ્વાસમાં ફેરવી દીધું. 2019માં પ્રદર્શનના આધારે તમે મને ફરીથી આશીર્વાદ આપ્યા. પરિવર્તને મને બીજી તક આપી. હું તમારા બધા સપના પૂરા કરીશ. 2047નું સપનું સાકાર કરવાની સૌથી મોટી સોનેરી ક્ષણ આવતા પાંચ વર્ષ છે. આગામી 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું તમારી સામે દેશની ઉપલબ્ધિઓ અને વિકાસ રજૂ કરીશ. આગામી 15મી ઓગસ્ટે ફરી આવશે. હું ફક્ત તમારા માટે જ જીવું છું. જો હું પરસેવો પાડુ છું તો તમારા માટે પાડુ છું કારણ કે તમે મારો પરિવાર છો. હું તમારું દુ:ખ જોઈ શકતો નથી.

09:11 AM (IST)  •  15 Aug 2023

PM Modi Speech Live: 'વિકાસ માટે પરિવારવાદથી મુક્તિ જરૂરી છે'

વિપક્ષ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, દેશના વિકાસ માટે પરિવારવાદથી આઝાદી જરૂરી છે. તુષ્ટિકરણની રાજનીતિએ સામાજિક ન્યાયને મારી નાખ્યો. દેશ વિકાસ ઈચ્છે છે. દેશ 2047નું સપનું સાકાર કરવા માંગે છે. અમે કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર સહન કરી શકતા નથી.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
Embed widget