Independence Day 2023: લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત, કહ્યુ- 'આગામી 15 ઓગસ્ટના રોજ હું ફરીથી આવીશ'
Independence Day 2023 Celebrations: આખો દેશ સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાઈ ગયો છે
LIVE

Background
PM Modi Speech Live: 'હું આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ'
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2014માં મેં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. તમે દેશવાસીઓએ મારા પર વિશ્વાસ કર્યો. મેં તમને આપેલા મારા વચનને વિશ્વાસમાં ફેરવી દીધું. 2019માં પ્રદર્શનના આધારે તમે મને ફરીથી આશીર્વાદ આપ્યા. પરિવર્તને મને બીજી તક આપી. હું તમારા બધા સપના પૂરા કરીશ. 2047નું સપનું સાકાર કરવાની સૌથી મોટી સોનેરી ક્ષણ આવતા પાંચ વર્ષ છે. આગામી 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું તમારી સામે દેશની ઉપલબ્ધિઓ અને વિકાસ રજૂ કરીશ. આગામી 15મી ઓગસ્ટે ફરી આવશે. હું ફક્ત તમારા માટે જ જીવું છું. જો હું પરસેવો પાડુ છું તો તમારા માટે પાડુ છું કારણ કે તમે મારો પરિવાર છો. હું તમારું દુ:ખ જોઈ શકતો નથી.
#WATCH | PM Narendra Modi says, "In 2019, on the basis of performance, you blessed me once again...The next five years are for unprecedented development. The biggest golden moment to realise the dream of 2047 is the coming five years. The next time, on 15th August, from this Red… pic.twitter.com/PtwL73Sahg
— ANI (@ANI) August 15, 2023
PM Modi Speech Live: 'વિકાસ માટે પરિવારવાદથી મુક્તિ જરૂરી છે'
વિપક્ષ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, દેશના વિકાસ માટે પરિવારવાદથી આઝાદી જરૂરી છે. તુષ્ટિકરણની રાજનીતિએ સામાજિક ન્યાયને મારી નાખ્યો. દેશ વિકાસ ઈચ્છે છે. દેશ 2047નું સપનું સાકાર કરવા માંગે છે. અમે કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર સહન કરી શકતા નથી.
PM Modi Speech Live: 'ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણ... આપણે આ ત્રણેયથી છૂટકારો મેળવવો પડશે'
77માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, હું ભ્રષ્ટાચાર સામે લડતો રહીશ. પરિવારવાદે આપણા દેશને લૂંટી લીધો છે. ત્રીજી દુષ્ટતા તુષ્ટિકરણની છે. તે આપણા દેશ પર ડાઘ લગાવી દીધો છે. આપણે આ ત્રણેય દુષણો સામે આપણી પૂરી શક્તિથી લડવાનું છે. આપણે આ ત્રણ બુરાઈઓમાંથી મુક્તિ મેળવવાની છે.
PM Modi Speech Live: '2047માં વિશ્વમાં ભારતનો ધ્વજ વિકસિત ભારતનો તિરંગો હોવો જોઈએ'
પીએમ મોદીએ કહ્યું હતું કે સપના અનેક છે. સંકસ્પ સાથે છે. નીતિઓ સ્પષ્ટ છે. પરંતુ આપણે કેટલાક સત્યો સ્વીકારવા પડશે. આજે હું લાલ કિલ્લા પરથી તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. આજે આપણે કેટલીક બાબતોને ગંભીરતાથી લેવી પડશે. 2047 માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, તે સમયે વિશ્વમાં ભારતનો ધ્વજ વિકસિત ભારતનો તિરંગો હોવો જોઈએ.
PM Modi Speech Live: 'ગામમાં બે કરોડ બહેનોને કરોડપતિ બનાવવાનું સપનું'
લાલ કિલ્લાની કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું, મારું સપનું છે કે ગામમાં બે કરોડ બહેનો કરોડપતિ બને. એટલા માટે અમે નવી યોજના વિશે વિચારી રહ્યા છીએ. કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી આવશે. અમે તેમને ડ્રોનની સેવા આપવા માટે તાલીમ આપીશું. દેશ દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યો છે. દેશ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
