શોધખોળ કરો

ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટનો જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? નહીં જાણતા હોય તમે

Independence Day 2024: સ્વતંત્રતા દિવસ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 1947માં 15મી ઓગસ્ટને આઝાદીના દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો?

Independence Day 2024: આ વખતે સમગ્ર દેશમાં ભારત 15 ઓગસ્ટ 2024 ના રોજ તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. સ્વતંત્રતા દિવસ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 1947માં 15મી ઓગસ્ટને આઝાદીના દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો? આજે અમે તમને 15 ઓગસ્ટ પસંદ કરવા પાછળનું કારણ જણાવીશું.

15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને સત્તાવાર રીતે આઝાદી મળી હતી. આ વખતે સમગ્ર દેશ 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે 15મી ઓગસ્ટને આઝાદીના દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો?

સ્વતંત્રતા દિવસ માત્ર 15 ઓગસ્ટે જ કેમ ઉજવાય છે?

બ્રિટિશ શાસન અનુસાર 30 જૂન 1948ના રોજ ભારતને આઝાદી મળવાની હતી, પરંતુ તે જ સમયે નહેરુ અને જિન્નાહ વચ્ચે ભારત અને પાકિસ્તાનનું વિભાજન મોટો મુદ્દો બની ગયો હતો. જિન્નાહની પાકિસ્તાનની માંગને કારણે લોકોમાં સાંપ્રદાયિક સંઘર્ષની સંભાવનાને જોતા 15 ઓગસ્ટ 1947ના રોજ જ ભારતને આઝાદી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ માટે 4 જુલાઈ 1947ના રોજ માઉન્ટબેટન દ્વારા બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને બ્રિટિશ સંસદ દ્વારા તરત જ મંજૂરી આપવામાં આવી હતી અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદીની જાહેરાત કરવામાં આવી હતી.

15મી ઓગસ્ટ જ શા માટે?

ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનના જીવનમાં 15 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ હતો. વાસ્તવમાં 15 ઓગસ્ટ, 1945ના રોજ જાપાની સેનાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તે સમયે લોર્ડ માઉન્ટબેટન બ્રિટિશ આર્મીમાં સાથી દળોના કમાન્ડર હતા. માઉન્ટબેટનને જાપાની સેનાના શરણાગતિનો સંપૂર્ણ શ્રેય આપવામાં આવ્યો હતો, તેથી માઉન્ટબેટને 15 ઓગસ્ટને તેમના જીવનનો શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો હતો. તેથી જ તેમણે 15મી ઓગસ્ટને ભારતની આઝાદીના દિવસ તરીકે પસંદ કર્યો હતો.

મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા કાર્યક્રમમાં કેમ ભાગ લીધો ન હતો?

મહાત્મા ગાંધીએ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. સ્વતંત્રતા સમયે જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને સ્વતંત્રતા દિવસ પર તેમને આશીર્વાદ આપવા માટે પત્રો મોકલ્યા હતા. પરંતુ પત્રના જવાબમાં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જ્યારે દેશમાં સાંપ્રદાયિક રમખાણો થઈ રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં તેઓ સ્વતંત્રતાની ઉજવણીમાં કેવી રીતે ભાગ લઇ શકે? તે સમયે મહાત્મા ગાંધીએ પોતાના પત્રમાં કહ્યું હતું કે હું 15 ઓગસ્ટે ખુશ નહીં રહી શકું. હું તમને છેતરવા નથી માંગતો, પરંતુ તે જ સમયે હું એમ કહીશ નહીં કે તમારે પણ ઉજવણી ન કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કમનસીબે આજે જે રીતે આપણને આઝાદી મળી છે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાવિ સંઘર્ષના બીજ પણ સમાયેલા છે. મારા માટે આઝાદીની ઘોષણા કરતાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે શાંતિ વધુ મહત્વપૂર્ણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
Election Result 2025 :  ચોરવાડમાં ભાજપની ભવ્ય  જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : ચોરવાડમાં ભાજપની ભવ્ય જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime News: સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ જેવી બીજી ઘટના! માંગરોળમાં પ્રેમીએ પહેલા તો  પ્રેમિકાનું ગળું કાપ્યું અને પછી....Payal Hospital CCTV Viral Video: CCTV કાંડને લઈ રાજકોટની પાયલ હોસ્પિટલના MDનો ચોંકાવનારો દાવોHun To Bolish: હું તો બોલીશ : ભાજપની લહેર કે મતદાતાની મહેરHun To Bolish: હું તો બોલીશ : સોશલ મીડિયાના શેતાન  | abp Asmita LIVE

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
Election Result 2025 :  ચોરવાડમાં ભાજપની ભવ્ય  જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : ચોરવાડમાં ભાજપની ભવ્ય જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : 68 નગરપાલિકા પૈકી 60 પર BJP નો કબજો, કૉંગ્રેસે એક માત્ર નગરપાલિકમાં મેળવી જીત
Election Result 2025 : 68 નગરપાલિકા પૈકી 60 પર BJP નો કબજો, કૉંગ્રેસે એક માત્ર નગરપાલિકમાં મેળવી જીત
Gujarat Election Result 2025: ધોરાજીના રસ્તાઓ પર ભાજપનું વિશાળ વિજય સરઘસ, લાગ્યા જય શ્રીરામના નારા 
Gujarat Election Result 2025: ધોરાજીના રસ્તાઓ પર ભાજપનું વિશાળ વિજય સરઘસ, લાગ્યા જય શ્રીરામના નારા 
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.