શોધખોળ કરો

'INDIA'ગઠબંધનને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહનું નથી મળ્યું આમંત્રણ,જાણો કૉંગ્રેસે શું કહ્યું ? 

નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે  કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યો પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે.

નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે  કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યો પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ કાર્યક્રમને લઈને 'પડકારજનક' નિવેદન આપ્યું છે. જયરામ રમેશે કહ્યું છે કે "શપથગ્રહણ સમારોહમાં માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. અમારા નેતાઓને હજુ સુધી આમંત્રણ મળ્યું નથી. જ્યારે અમારા 'ઈન્ડિયા' ગઠબંધનના નેતાઓને આમંત્રણ મળશે, ત્યારે અમે તેના પર વિચાર કરીશું."

આ નિવેદન કોંગ્રેસ તરફથી ભાજપ અને મોદી સરકાર માટે એક સ્પષ્ટ સંદેશ છે. કોંગ્રેસે આ નિવેદન દ્વારા સ્પષ્ટ કર્યું છે કે તે આ સમારોહને 'રાષ્ટ્રીય મહત્વ'ની જગ્યાએ 'રાજનીતિક' ઘટના તરીકે જોઈ રહી છે.

કોંગ્રેસના આ નિવેદનથી એ પણ સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ તેની રણનીતિમાં ખૂબ જ ગંભીર છે અને તે દરેક વળાંક પર ભાજપને પડકારવા તૈયાર છે. કોંગ્રેસના આ નિવેદનની શપથ ગ્રહણ સમારોહ પર શું અસર પડે છે અને બંને પક્ષો વચ્ચે રાજકીય વાતાવરણ કેવું બદલાય છે તે જોવું રહ્યું. 

 નરેન્દ્ર મોદીના સતત ત્રીજા શપથ ગ્રહણને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રવિવારથી બે દિવસ (જૂન 9 અને 10) માટે રાષ્ટ્રીય રાજધાનીને નો ફ્લાઇંગ ઝોન તરીકે જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન પેરાગ્લાઈડર, પેરા-મોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, UAVs, UAS, હોટ એર બલૂન, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ અને રિમોટ ઓપરેટેડ એરક્રાફ્ટના ઉડ્ડયન પર પ્રતિબંધ રહેશે. આદેશનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 લોકસભા ચૂંટણીના પરિણામ બાદ હવે નવી સરકારની રૂપરેખા અને ચિત્ર ક્લીયર થઇ ગયુ છે. આખરે નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન 2024) ત્રીજીવખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં તેમની કેબિનેટના ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. હાલમાં મોદી 3.0ની કેબિનેટ માટે ઘણા નેતાઓના નામ સામે આવી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ

વિડિઓઝ

Morbi youth trapped in Ukraine makes video to warn students going to Russia
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
Embed widget