![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India Coronavirus Update: દેશમાં 209 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, જાણો આજનો આંકડો
India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસ ફરીથી ઘટ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,346 નવા કેસ અને 263 સંક્રમિતોના મોત થયા છે.
![India Coronavirus Update: દેશમાં 209 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, જાણો આજનો આંકડો India Corona Cases: India reports 18,346 new cases in the last 24 hours lowest in 209 days; as per heath ministry India Coronavirus Update: દેશમાં 209 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, જાણો આજનો આંકડો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/75ee80df24239ceebe376d713dd851ac_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus Updates: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,346 નવા કેસ અને 263 સંક્રમિતોના મોત થયા છે. આજે નોધાયેલા કેસ 209 દિવસની નીચલી સપાટી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,52,902 પર પહોંચી છે. જ્યારે રિકવરી રેટ 97.93 ટકા થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 8,850 નવા કેસ નોંધાયા હતા અને 149 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
છેલ્લા 4 દિવસમાં નોંધાયેલા કેસ
- 1 ઓક્ટોબરઃ 26,727
- 2 ઓક્ટોબરઃ 24,534
- 3 ઓક્ટોબરઃ 22,842
- 4 ઓક્ટોબરઃ 20,799
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 53 હજાર 048
- કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 52 હજાર 902
- કુલ મોતઃ 4 લાખ 49 હજાર 886
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
દેશમાં અત્યાર સુધીમાં 91 કરોડથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 72,51,419 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
COVID19 | Of the 18,346 new infections reported in India in the last 24 hours, Kerala reported 8,850 new cases and 149 deaths.
— ANI (@ANI) October 5, 2021
કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા
આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 57,53,94,042 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 11,41,642 સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું.
કોરોના સંક્રમણને રોકવા આગામી 6થી8 સપ્તાહ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા
કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર 6થી7 સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર 6થી 8 સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા 6થી8 સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર નવરાત્રિ, દશેરા, દિવાળી ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)