![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Corona Cases Today: દેશમાં પાંચ દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ, જાણો આજનો આંકડો
India Covi-19 Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15,873 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,22,193પર પહોંચ્યો છે.
![Corona Cases Today: દેશમાં પાંચ દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ, જાણો આજનો આંકડો India Corona Cases: India reports 2593 fresh Covid-19 cases active cases at 15,873 Corona Cases Today: દેશમાં પાંચ દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ, જાણો આજનો આંકડો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/20/cd41dc1c813cd7cd289b040af96fbb43_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2593 કેસ નોંધાયા છે અને 44 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 15 હજારને પાર થઈ ગયો છે.
એક્ટિવ કેસ 16 હજાર નજીક
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15,873 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,22,193પર પહોંચ્યો છે. દેશમાં 4,25,19,479 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 187,67,20,318 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 19,05,374 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. . દૈનિક પોઝિટિવિટી રેટ 0.56 ટકા છે.
ભારતમાં ચોથી લહેર આવશે ?
ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ચોથી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.
India reports 2,593 new COVID19 cases today: Active cases stand at 15,873 pic.twitter.com/9x6JUBQwNu
— ANI (@ANI) April 24, 2022
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)