શોધખોળ કરો
Coronavirus Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ, મૃત્યુઆંક એક લાખ 22 હજારને પાર
દેશમાં કુલ કોરોનાના કેસ 81 લાખ 84 હજાર પર પહોંચી ગયા છે. જ્યારે 74.91 લાખ લોકો સંક્રમણમાંથી સાજા થયા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ સંક્રમિત કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 46 હજાર 963 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ કોરોનાના કેસ 81 લાખ 84 હજાર પર પહોંચી ગયા છે. જ્યારે 74.91 લાખ લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ 90.99 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 470 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી 1,22,111 લોકોના મૃત્યુ કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી એક લાખ 22 હજાર 111 લોકોના મોત થયા છે. જ્યારે 74 લાખ 91 હજાર 513 લોકો સાજા થયા છે. હાલ 5 લાખ 70 હજાર 458 લોકોની સારવાર ચાલી રહી છે.
વધુ વાંચો





















