શોધખોળ કરો

ભારતે પાકિસ્તાનના સેંકડો ડ્રોન તોડી પાડ્યા, દેશના 32 એરપોર્ટ બંધ, જાણો 10 અપડેટ્સ

ભારતના લશ્કરી 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, અમૃતસર અને રાજસ્થાનના સરહદી શહેરોને નિશાન બનાવી રહ્યું છે

ભારતના લશ્કરી 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, અમૃતસર અને રાજસ્થાનના સરહદી શહેરોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં 26 સ્થળોએ હુમલો કર્યો હતો. આ પછી ભારતે વળતો જવાબ આપ્યો છે. નિયંત્રણ રેખા (LoC) પર ઘણી જગ્યાએ વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે તેમના ત્રણ એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે. જોકે, ભારતે હજુ સુધી હુમલાની પુષ્ટી કરી નથી.

પાકિસ્તાને ભારત વિરુદ્ધ શરૂ કર્યું ઓપરેશન બુનયાન ઉલ મરસૂસ

પાકિસ્તાને ભારત વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત વિરુદ્ધના ઓપરેશનને ઓપરેશન બુનયાન ઉલ મરસૂસ નામ આપવામાં આવ્યું છે. આ માહિતી એવા સમયે આવી છે જ્યારે શનિવારે સવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે ભારતે તેના ત્રણ એરબેઝને નિશાન બનાવ્યા છે. રાવલપિંડીમાં બાસ નૂર ખાન એરબેઝ, ચકવાલ નજીક મુરીદ અને પૂર્વ પંજાબના ઝાંગ જિલ્લામાં રફીકી એરબેઝ પાસે વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.

પાકિસ્તાની ચોકી અને આતંકવાદી લોન્ચ પેડનો નાશ થયો.

ભારતીય સેના પાકિસ્તાનના હવાઈ હુમલાનો જોરદાર જવાબ આપી રહી છે. છેલ્લા બે દિવસથી રાત્રે ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલી પાકિસ્તાની મિસાઇલોને નષ્ટ કર્યા બાદ, આજે ભારતીય સેનાએ તેના આતંકવાદી લોન્ચ પેડ્સને પણ નષ્ટ કર્યા હતા. સમાચાર એજન્સી ANI પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય દળોએ પાકિસ્તાનની કમર કેવી રીતે તોડી નાખી છે. આ વીડિયોમાં ભારતીય સેના પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કરી રહી છે. ભારતીય સુરક્ષા દળો દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં પાકિસ્તાનને ભારે નુકસાન થતું જોઈ શકાય છે.

ભારતમાં 32 એરપોર્ટ 14 મે સુધી બંધ, ત્રણ સેના પ્રમુખો પીએમ મોદીને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં વર્તમાન સરહદી પરિસ્થિતિ અને વ્યૂહાત્મક તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાલના તણાવને ધ્યાનમાં રાખીને સરકારે સુરક્ષા કારણોસર જમ્મુ, શ્રીનગર, લેહ, અમૃતસર, ચંડીગઢ, જોધપુર સહિત 32 એરપોર્ટ બંધ કરી દીધા છે. આ એરપોર્ટ 14 મે સુધી બંધ રહેશે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટે આ શહેરોમાંથી ફ્લાઇટ્સ રદ કરી છે. આ પગલું નાગરિકોને સંભવિત પાકિસ્તાની હુમલાઓથી બચાવવા અને લશ્કરી તૈયારીઓને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને અન્ય કેન્દ્રીય દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

સિંધુ નદીના પાણીનો ઉપયોગ ચાર રાજ્યોમાં થશે

ભારતે સિંધુ નદીના પાણી અંગે એક પગલું ભર્યું છે. સરકારે નિર્ણય લીધો છે કે સિંધુ નદીના પાણીનો ઉપયોગ રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્હી માટે કરવામાં આવશે. 2019ના પુલવામા હુમલા પછી આ પગલું લેવામાં આવ્યું હતું જ્યારે ભારતે પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી છોડવાનું બંધ કરી દીધું હતું. હવે એ જ પાણીનો ઉપયોગ ભારતના સૂકા વિસ્તારો માટે કરવામાં આવશે.

જમ્મુ, રાજૌરી, પઠાણકોટ... પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા

શુક્રવારે રાત્રે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ, સાંબા, પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલાનો યોગ્ય જવાબ આપી રહી છે. ભારતે ઘણા પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા છે. ભયને ધ્યાનમાં રાખીને ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાયરન વાગ્યું અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો.

ભારતે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો

ગુરુવારે રાત્રે પાકિસ્તાને મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ પણ કર્યો, જેને BSFએ નિષ્ફળ બનાવ્યો હતો. જવાબી કાર્યવાહીમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા અને પાકિસ્તાન રેન્જર્સ ચોકીને ભારે નુકસાન થયું હતું.

પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન આસિફની ભારતને ધમકી

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે હવે ભારત સાથે પૂર્ણ યુદ્ધ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. આસિફે કહ્યું છે કે છેલ્લા ચાર દિવસમાં જે રીતે ઘટનાઓ બની છે તે પછી, યુદ્ધ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. ખ્વાજા આસિફનું આ નિવેદન ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા બાદ આવ્યું છે. ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે તણાવ છે અને સરહદ પર સતત ગોળીબાર થઈ રહ્યો છે.

G-7 દેશોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની અપીલ કરી

G-7 દેશોએ શુક્રવારે ભારત અને પાકિસ્તાનને મહત્તમ સંયમ રાખવા વિનંતી કરી અને બે પડોશીઓ વચ્ચે સીધી વાતચીત માટે હાકલ કરી હતી. એક નિવેદનમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન,અમેરિકા, યુકે અને યુરોપિયન યુનિયનના વિદેશ પ્રધાનોએ પહલગામ હુમલાની નિંદા કરી અને બંને પરમાણુ સશસ્ત્ર દેશોને સંયમ રાખવા અપીલ કરી હતી.

ભારતમાં પાકિસ્તાને 26 સ્થળોએ હુમલો કર્યો

પાકિસ્તાને ગઈ રાત્રે 26 સ્થળોએ હુમલો કર્યો. આ પછી ભારતે વળતો જવાબ આપ્યો છે. નિયંત્રણ રેખા (LoC) પર ઘણી જગ્યાએ વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ડીજી લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ પાકિસ્તાની મીડિયાને જણાવ્યું હતું કે પાકિસ્તાન એરફોર્સ (PAF) ના નૂર ખાન, મુરીદ અને શોરકોટ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ભારતના 26 વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા, ભારતીય સેનાએ તોડી પાડ્યા

ભારતના લશ્કરી ઓપરેશન સિંદૂર પછી શુક્રવારે રાત્રે પાકિસ્તાનથી ઘણા ડ્રોન પણ ઘૂસણખોરી કરી હતી. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે ઉત્તરમાં બારામુલ્લાથી દક્ષિણમાં ભૂજ સુધી, આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. આમાં કેટલાક શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો પણ સમાવેશ થાય છે, જે નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત ખતરો બની શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લખી નાળામાં ડ્રોન જોવા મળ્યા છે. ફિરોઝપુરમાં એક સશસ્ત્ર ડ્રોન દ્વારા નાગરિક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં એક પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Embed widget